કોરોના વાઈરસના દેશમાં કુલ 536 કેસ, જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ?
કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એક દિવસમાં 100 નવા દર્દીઓ ભારતમાં સામેલ થઈ રહ્યાં છે. કોરોના વાઈરસનું સંક્રમણ અટકે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ બાદ દિલ્હીમાં છેલ્લાં 40 કલાકમાં એકપણ કેસ સામે આવ્યો નથી. જે દેશ માટે રાહતના સમાચાર છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એક દિવસમાં 100 નવા દર્દીઓ ભારતમાં સામેલ થઈ રહ્યાં છે. કોરોના વાઈરસનું સંક્રમણ અટકે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ બાદ દિલ્હીમાં છેલ્લાં 40 કલાકમાં એકપણ કેસ સામે આવ્યો નથી. જે દેશ માટે રાહતના સમાચાર છે.
આ પણ વાંચો : લોકડાઉનનો કડક અમલ, અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનારા 43 લોકો સામે ફરિયાદ
આ બાજુ દેશભરમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 536 થઈ ગઈ છે. આ 536 કેસમાં મહારાષ્ટ્ર રાજ્યના 107 કેસ છે. જેના લીધે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે કર્ફ્યૂ લગાવવાની જરૂર પડી છે. મહારાષ્ટ્રની તમામ સરહદો સીલ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગુજરાતમાં કોરોના વાઈરસના કેટલા કેસ?
ગુજરાતમાં પણ કોરોના વાઈરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કુલ 33 કેસ નોંધાયા છે. આથી સરકાર દ્વારા સલાહ આપવામાં રહી છે કે બહાર ના જાઓ. લોકડાઉનનું પાલન કરો. જેના લીધે કોરોના વાઈરસ તમારા ઘર સુધી નહીં આવે. જે લોકો લોકડાઉનના નિયમોનું પાલન નથી કરી રહ્યાં તેમની સામે સરકારે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જો કે સારી ખબર એવી પણ છે કે કોરોના વાઈરસના 37 કેસ સ્વસ્થ થયા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]