ચિંતાજનક: 88 દિવસમાં આટલા લાખ વેક્સિનના ડોઝ વેડફાયા, સરકારને થયું કરોડોનું નુકસાન

કેન્દ્ર સરકારની વારંવાર ટકોર છતાં રાજ્યોમાં વેક્સિન વ્યયનો ડર ખુબ વધી રહ્યો છે. આ બાબતે એક અહેવાલ અનુસાર ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

ચિંતાજનક: 88 દિવસમાં આટલા લાખ વેક્સિનના ડોઝ વેડફાયા, સરકારને થયું કરોડોનું નુકસાન
પ્રતિકાત્મક તસ્વીર (FILE PHOTO)
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 9:38 AM

દેશમાં કોરોના રસીકરણ દરમિયાન, વિવિધ રાજ્યોમાં રસીના 58 લાખથી વધુ ડોઝનો વ્યય થયો છે. કેન્દ્ર સરકારે ડોઝ દીઠ 150 રૂપિયાના દરે ખરીદ્યા હતા. તદનુસાર રસીકરણના 88 દિવસમાં સરકારે 87 કરોડથી વધુનું નુકસાન કર્યું છે.

રાજ્યોમાં રસીકરણ સમીક્ષાના તાજેતરના અહેવાલમાં બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં 58,36,592 ડોઝ વેડફવામાં આવ્યા છે, જેની કિંમત લગભગ 87.55 કરોડ રૂપિયા છે. સૌથી અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં, અત્યાર સુધી આપવામાં આવેલા 1.06 કરોડ ડોઝમાંથી 90 લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે પાંચ લાખથી વધુ ડોઝનો નાશ કરવો પડ્યો છે. જેના કારણે લગભગ સાડા સાત કરોડનું નુકસાન થાય છે.

અહેવાલ મુજબ રસીના બગાડનો દર કેરળ સિવાય અન્ય કોઈ રાજ્યમાં શૂન્ય પર પહોંચ્યો નથી. છેલ્લા 35 દિવસમાં આ માટે પાંચ વખત રાજ્યોને કડક સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કહે છે કે કેટલાક રાજ્યોમાં રસીના બગાડનો દર આઠથી નવ ટકા સુધીનો છે જે ચિંતાનો વિષય છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

કોવેક્સિન સાથે કોવિશિલ્ડ વેક્સિનનો પણ વ્યય થઇ રહ્યો છે. ઘણા સેન્ટર પર પરિસ્થિતિ એ છે કે ચાર કલાક પછી સંપૂર્ણ વોયલનો નાશ કરવો પડે છે, જેની અસર સીધી કેન્દ્રને થતી હોય છે અને નુકસાન થાય છે.

ખરેખર, કોવિશિલ્ડની એક વોયલમાં 10 લોકો માટેના ડોઝ હોય છે. જ્યારે કોવાક્સિનની એક વોયલમાં 20 ડોઝ હોય છે. એકવાર વોયલ ખુલ્લી થઈ જાય તે પછી, બધા ડોઝને ચાર કલાકમાં ઉપયોગમાં લઇ લેવા જરૂરી છે, પરંતુ તે જોવા મળે છે કે દરેક વોયલમાં ચાર ડોઝથી પાંચ ડોઝ બગાડતા હોય છે.

આની ગણતરી કઈ રીતે થઈ

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા અનુસાર, જ્યારે મંગળવારે સવારે રસીકરણની સમીક્ષા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે 13 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યા સુધી દેશમાં 10,85,33,085 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે રાજ્યોમાં વેક્સિનનો કુલ વપરાશ 11,43,69,677 છે. આ આંકડા અનુસાર, આજ સુધીમાં 58 લાખથી વધુ ડોઝનો નાશ કરવામાં આવ્યો તેવું માની શકાય.

આટલું નુકસાન

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ફાર્મા કંપનીને રસીના દરેક ડોઝ દીઠ 150 રૂપિયા ફી ચૂકવવી પડે છે. જ્યારે વ્યક્તિ સર્વિસ ચાર્જ 100 રૂપિયા જોડીને વ્યક્તિ દીઠ 250 રૂપિયાની ચૂકવણી સરકાર કરી રહી છે. આમ અત્યાર સુધીમાં 87 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જો આ પ્રક્રિયા જલ્દીથી અટકશે નહીં, તો પછી આવતા એકથી બે અઠવાડિયામાં વેડફાઇ રહેલા ડોઝની કિંમત 100 કરોડ રૂપિયા થઈ શકે છે.

રાજ્યો સલાહ આપી રહ્યા છે

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કહે છે કે દેશમાં રસીઓની કોઈ અછત નથી. ડોઝનો બગાડ અટકાવવા માટે, રાજ્યોને વધુ વ્યર્થ કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દરરોજ સમીક્ષા કરવાની વારંવાર સલાહ આપવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">