Corona vaccine : ટુંક સમયમાં જ રસીના બે ડોઝ લેવામાંથી મળશે રાહત, ફક્ત એક ડોઝ લેવો અનિવાર્ય બનશે, સંશોધન ચાલું
Corona vaccine : સરકાર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં બે મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. જે પછી રસીના બે અથવા બૂસ્ટર ડોઝથી માત્ર આઝાદી જ નહીં, પણ આગામી દિવસોમાં દેશની પ્રથમ ટ્રેકિંગ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવશે.
Corona vaccine : સરકાર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં બે મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. જે પછી રસીના બે અથવા બૂસ્ટર ડોઝથી માત્ર આઝાદી જ નહીં, પણ આગામી દિવસોમાં દેશની પ્રથમ ટ્રેકિંગ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવશે. આના માધ્યમથી સરકાર જાણશે કે રસી મળ્યા પછી કેટલા લોકોના મોત થયા ? રસી પછી કેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ લોકોના શરીરમાં કયા ફેરફારો થયા છે ?
માહિતી અનુસાર, રસીકરણ અંગેના રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ સંકેત આપ્યા છે કે રસીની એક માત્રા દ્વારા લોકોને ચેપથી બચાવી શકાય છે. જ્હોન્સન એન્ડ જહોન્સનનો અને સ્પુટનિક ઉપરાંત, તેમાં કોવિશિલ્ડ રસી પણ સામેલ થઇ શકે છે. તેથી જ નિષ્ણાતોએ ભલામણ કરી છે કે સિંગલ ડોઝ અંગે બેથી ત્રણ મહિના સુધી પરિક્ષણ થવું જોઈએ. જેમાં સામેલ લોકોના ત્રણ મહિના સુધી પરીક્ષણમાં એન્ટિબોડીઝ વિશે માહિતી મેળવી શકાય.
સમાન ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવેલ બીજુ સૂચન એ છે કે દેશમાં રાષ્ટ્રીય રસી ટ્રેકિંગ સિસ્ટમ ઉભી કરવી જોઇએ. આ ટ્રેકિંગ સિસ્ટમ એવી હશે કે કેન્દ્ર સરકાર તેનું મોનિટરિંગ જિલ્લા અને તાલુકા કક્ષા સુધી કરવામાં આવશે, જ્યારે અત્યારે આ મોનિટરિંગ રાજ્ય સરકારના મુખ્યાલયથી કરવામાં આવે છે. આ સિસ્ટમની શરૂઆત સાથે, સરકાર ફરીથી કોરોના ચેપ, રસીકરણ પછીનો મૃત્યુદર, પુરુષો અને મહિલાઓમાં રસીકરણ પછીની અસરો, વયજુથમાં રસીના જોખમી પરિબળો, વગેરે વિશે માહિતી જાણી શકશે.
અભ્યાસ જૂન માસમાં જ શરૂ થશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ બંને ભલામણો સ્વીકારવામાં આવી છે. ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરવા ભારત સરકારના આઇટી નિષ્ણાતો પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે આ ટ્રેકિંગ સિસ્ટમ ફક્ત જૂનમાં શરૂ કરવામાં આવશે. આ સાથે, વિવિધ ડોકટરોમાં સિંગલ ડોઝ પર ટ્રાયલ્સ પણ શરૂ થશે, જેના માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલની ટીમ કાર્યરત છે.
અમેરિકામાં એક સિસ્ટમ ચાલે છે, તે ભારતમાં લાગુ થશે નિષ્ણાંતોના મતે અમેરિકાના સીડીસી દ્વારા રસીકરણ પછીની પ્રતિકૂળ ઘટનાઓને લઇને એક સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે. આમાં, રસી પછી થતી આડઅસરો વિશે દરરોજ માહિતી એકઠી કરવામાં આવે છે. ભારતમાં પણ આવી જ સમાન સિસ્ટમ લાગુ થશે. પરંતુ તે કોવિન વેબસાઇટથી વધુ સારી હશે. જેના થકી, પ્રત્યેક એક-એક કેસની માહિતી મેળવવામાં મદદરૂપ થશે.
એક ડોઝ અંગે મળ્યા મજબૂત સંકેતો રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યએ કહ્યું કે એક ડોઝ લેવાના સકારાત્મક સંકેતો છે. તેમને વિશ્વાસ છે કે આ સુવિધા ભારતમાં આવતા ત્રણથી છ મહિનાની અંદર આવી જશે. જ્યારે કોઈ વ્યક્તિને બે કે ત્રીજા ડોઝના રૂપમાં બૂસ્ટર રસી લેવાની જરૂર નહીં પડે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ ત્રીજા બૂસ્ટર ડોઝ માટે ટ્રાયલ પણ શરૂ કરી છે. જે બે ડોઝ પછી છ મહિના બાદ લઈ શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફક્ત એક જ ડોઝ લીધા પછી જ મોટાભાગના લોકોમાં એન્ટીબોડિઝના સારા પરિણામો જોવા મળ્યાં છે.