Corona Update: ભારતમાં 24 કલાકમાં કેટલા આવ્યા નવા કેસ? કેટલો છે મૃત્યુ આંક ? જાણો આંકડા
Corona Update : ભારતમાં ભલે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે પરંતુ કોરોનાનું સંકટ ભારત પરથી હજુ ગયું નથી. બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સટ્રેનને કારણે વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે
Corona Update : ભારતમાં ભલે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે પરંતુ કોરોનાનું સંકટ ભારત પરથી હજુ ગયું નથી. બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સટ્રેનને કારણે વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે થઈને જ કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું હોવા છતાં પણ કોરોના ગાઈડલાઇનનું સખત પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 7 લાખ 90 હજાર 183 થઈ ગઈ છે. સાવસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,899 કેસ સામે આવ્યા છે. જ્યારે 107 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.
સ્વાસ્થય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધીમાં 1,04,80,455 લોકો રિકવર થયા છે, જ્યારે આ સમયે 1,55,025 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1,54,703 થઈ ગઈ છે. ICMR અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,42,841 કોરોના ટેસ્ટ થાય છે.
બુધવારે રાજધાનીમાં દિલ્લીમાં કોવિડ -19 ના 150 નવા કેસો મળી આવ્યા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રોગચાળાએ વધુ છ દર્દીઓનો ભોગ લીધો છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને 10,864 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 6,35,481 કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક બુલેટિન મુજબ અત્યાર સુધીમાં 6,23,409 દર્દીઓ સાજા થયા છે. રિપોર્ટ મુજબ રાજધાનીમાં હાલમાં 1,208 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાના 283 નવા કેસ
બુધવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 283 કેસ નોંધાયા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 2,62,406 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બે દર્દીઓનાં મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 2,62,406 થઈ ગઈ છે.આરોગ્ય વિભાગે કહ્યું કે 528 દર્દીઓને રજા મળ્યા બાદ, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 2,55,059 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 2,956 છે. 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે.