Corona Third wave : કયારે ત્રીજી લહેર આવવાના એંધાણ ? જાણો લહેર કેટલી ઘાતક હશે ?
Corona Third wave : કોરોના (Corona)ની બીજી લહેરે તબાહી મચાવી હતી. સરકાર અને પ્રજા બંનેએ ક્યાંકને ક્યાંક બેદરકારી તો દાખવી જ અને હજારો માણસોએ પોતાનો જીવ ગુમાવ્યો. કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે આવી શકે છે.
Corona Third wave : દેશભરમાં કોરોના (Corona)ની બીજી લહેરે તબાહી મચાવી હતી. સરકાર અને પ્રજા બંનેએ ક્યાંકને ક્યાંક બેદરકારી તો દાખવી જ અને હજારો માણસોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. બીજી લહેરની ભૂલોમાંથી શીખીને જ સરકારે આગામી લહેર માટે વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ત્રીજી લહેર ઓગસ્ટથી ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટના મુજબ ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહી હોય.બીજી લહેરમાં જે રીતે ઓક્સિજન (Oxygen)ની અછત સર્જાઈ અને હોસ્પિટલો જે રીતે દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી તેવી પરિસ્થિતિ સર્જાવાની શકયતા ઓછી છે.
તેના બે મુખ્ય કારણો છે એક બીજી લહેર દરમિયાન મોટાભાગની વસ્તી સંક્રમિત થઈ ચૂકી છે માટે રોગપ્રતિકારક શક્તિ (immunity)નું સ્તર ઘણું ઉંચુ છે અને બીજુ રસીકરણની ગતિ વધારીને પણ લોકોને સુરક્ષીત કરી શકીએ છીએ. પરંતુ લોકોની થોડી પણ બેદરકારી અને કોરોના વાયરસ (corona virus)નું બદલાતું સ્વરૂપ જોખમી સાબિત થઈ શકે છે એ સંભાવના નકારી શકાય નહી.
ત્રીજી લહેર (Third wave)માં કેસોની સંખ્યા વધુ હોય શકે છે, દૈનિક 1 થી 1.5 લાખ જેટલા કેસો આવી શકે છે, જે આપણી ધારણા કરતાં ખૂબ વધારે હશે. પરંતુ મૃત્યુઆંક ઓછો હશે તેમજ રોગપ્રતિકારક શક્તિને કારણે કેસો હળવા જોવા મળશે.
કોરોના (Corona)ના નવા સ્વરૂપ ડેલ્ટા વાયરસે (Delta virus) સરકાર તેમજ લોકોને ચિંતામાં મુક્યા છે સૌ-કોઈ એ જ વિચારી રહ્યું છે કે જીવન સામાન્ય ક્યારે થશે ? “ડેલ્ટા વાયરસ ભારતમાં ફેબ્રુઆરી 2021થી છે અને તેની સામે લડવા માટે લોકોનું રસીકરણ (Vaccination)થઈ રહ્યું છે.
રસીકરણના પરીણામ રૂપે ડેલ્ટા વાયરસ(Delta virus)ની ઘાતકતા ઓછી જોવા મળી છે. આથી એ સાબિત થાય છે કે રસી નવા વેરિયન્ટ સામે લડવા સક્ષમ છે ઝડપી રસીકરણ (Vaccination)જ આ નવા વેરિયન્ટ સામે લડવાનું હથિયાર છે.
સરકાર પણ કોરોનાને હરાવવા માંગે છે બીજી લહેર દરમિયાન સરકારની જે છબી ખરડાય છે તેને સુધારવા પણ માંગે છે. અને આ માટે સરકાર બે દિશામાં વિચારી રહી છે. શું કોરોના (corona)ની લહેરોને રોકી શકાય છે ? અને લહેરોની આક્રમકતા ઓછી કરી શકાય છે કે કેમ ? તો આ પ્રશ્નનો એક જ જવાબ છે ઝડપી રસીકરણ (Vaccination).
સરકાર પણ સ્થિતિની ગંભીરતાને જોઈને રસીકરણ ઉપર ભાર મુકી રહી છે. તેમજ લોકોમાં પણ જાગ્રૃતિ આવે એવા પ્રયાસો કરી રહી છે.જુલાઈમાં 13-14 કરોડ ડોઝ આપવામાં આવશે. અને ઓગસ્ટમાં ડોઝની સંખ્યા વધીને 20 કરોડથી પણ વધારે હશે એવી સંભાવના છે. અને આ ઝડપ રહેશે તો આગામી લહેરોને અટકાવી શકાશે જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તે રીતે જો ડોઝની સંખ્યા 10 કરોડથી ઓછી હશે તો પરિસ્થિતિ વધુ વિકટ અને ગંભીર હશે.