પંજાબમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, 31 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા આદેશ

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં 31 માર્ચ સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા સૂચનાઓ પણ આમાં સામેલ કરવામાં આવી છે. આની સાથે સિનેમા હોલની ક્ષમતાને 50% સુધી મર્યાદિતકરી દેવામાં આવી છે.

પંજાબમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, 31 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા આદેશ
Punjab cm Amarinder singh File Photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 19, 2021 | 4:06 PM

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે Corona ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં 31 માર્ચ સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા સૂચનાઓ પણ આમાં સામેલ કરવામાં આવી છે. આની સાથે સિનેમા હોલની ક્ષમતાને 50% સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે. રાજ્યના 11 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં નાઇટ કર્ફ્યુની સાથે સામાજિક મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અંતિમ ક્રિયા અને લગ્ન સમારોહમાં માત્ર 20 લોકોની મંજૂરી

જ્યારે રાજ્યમાં અંતિમ ક્રિયા અને લગ્ન સમારોહમાં માત્ર 20 લોકોને હાજર રહેવાની મંજૂરી આપી છે. તમામ જિલ્લાઓમાં માઇક્રો કન્ટેન્ટ એરિયા બનાવવાની વ્યૂહરચના ફરીથી અમલમાં મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. હાલ પંજાબમાં દરરોજ ઓછામાં ઓછા 35000 લોકોના Corona ટેસ્ટ માટે સૂચનો આપવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મોલમાં એક સમયે 100 લોકોને જવાની મંજૂરી

પંજાબની સારી કામગીરી કરતી હોસ્પિટલોના વોર્ડ્સ અને બેડ ફરીથી સ્થાપિત કરવા તેમજ બિન-આવશ્યક સર્જરીને હાલ મુલતવી રાખવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. તેમજ મોલમાં લોકોને નિયંત્રિત કરવા માટે એક સમયે ફક્ત 100 લોકોને શોપિંગ મોલ્સની અંદર મંજૂરી આપવામાં આવશે. પંજાબની જનતાને વિનંતી છે કે આગામી 2 અઠવાડિયા સુધી તમામ સામાજિક કાર્યક્રમો ન કરે જેથી કોરોનાનો ફેલાવો રોકી શકાય. તેમણે લોકોએ અપીલ કરી છે કે તેઓ તેમના ઘરે એક સમયે 10 થી વધુ મુલાકાતીઓને એકત્ર ના કરે.

શનિવારે સવારે 11 વાગે લોકોને મૌન પાળવાની વિનંતી

પંજાબમાં આવતા અઠવાડિયાથી દર શનિવારે સવારે 11 વાગે લોકોને મૌન પાળવાની વિનંતી કરીએ છીએ જેથી કોરોના દરમ્યાન પોતાનો જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી શકાય. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે વહીવટતંત્રના લોકોને સહયોગથી જુદા જુદા કાર્યક્રમોને ચલાવીને લોકોને સામાજિક અંતર પ્રત્યે જાગૃત કરવા અપીલ કરી છે.

આ શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં રહેશે

જેમાં પંજાબમાં લુધિયાણા, જલંધર, પટિયાલા, મોહાલી, અમૃતસર, હોશિયારપુર, કપૂરથલા, નવાશહેર, ફતેહગઢ સાહિબ, રોપર અને મોગામાં રાત્રે 9:00 થી સવારના 5:00 સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. આ તમામ માર્ગદર્શિકા આવતા 2 અઠવાડિયા સુધી અમલમાં રહેશે. ત્યારબાદ પંજાબ સરકાર ફરી એકવાર પરિસ્થિતિની સમીક્ષા કરશે.

તમામ રાજકીય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા

આ ઉપરાંત પંજાબમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસે 31 માર્ચ સુધી કોઈ રાજકીય રેલી ન રાખવાની જાહેરાત કરી હતી અને તમામ રાજકીય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા હતા. તે જ સમયે કેપ્ટન અમરિન્દરસિંહે અન્ય રાજકીય પક્ષોને પણ ઓછી સંખ્યામાં લોકોને એકત્ર કરવા અને રાજકીય કાર્યક્રમો ના યોજવા વિનંતી કરી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">