CORONA : SCનો આદેશ, કોરોનામાં મૃત્યુ પામનારને આપો વળતર, સરકાર માર્ગદર્શિકા બનાવે
CORONA : દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. જે-જે લોકોના મોત કોરોના વાયરસથી નિપજ્યાં છે. સરકાર તેમના પરિવારોને વળતર આપે.
CORONA : દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. જે-જે લોકોના મોત કોરોના વાયરસથી નિપજ્યાં છે. સરકાર તેમના પરિવારોને વળતર આપે. જોકે, આ વળતર કેટલું હોવું જોઇએ એ સરકારે નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વળતર નક્કી કરતા નથી. પરંતુ NDMA છ અઠવાડિયાની અંદર પ્રત્યેક કોવિડ પીડિતને ચૂકવવામાં આવનારી સહાયતાની રકમ નિર્ધારિત કરવાના દિશાનિર્દેશ જાહેર કરે.
સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે કોવિડના કારણે જેટલા લોકોના મોત થયા છે. તેમને 4 લાખ રૂપિયાની સહાયતા કરવી મુશ્કેલ છે. જોકે સુપ્રીમ કોર્ટે આની સાથે NDMAને કહ્યું કે એક એવી સિસ્ટમ બનાવવી જોઇએ જેનાથી ઓછામાં ઓછું વળતર આપી શકાય. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ડેથ સર્ટિફિકેટ ઉપર મોતનું કારણ કોરોના અને મોતનો દિવસ લખવાનો રહેશે.
સરકાર છ મહિનામાં તેના પર ગાઈડલાઈન બનાવશે. જે લોકોને ડેથ સર્ટિફિકેટ મળી ગયું છે અને તેમને તેના પર આપત્તિ છે તો સરકાર તેના પર ફરીથી વિચારશે. આ માટે સરકાર એવા લોકોને ફરિયાદનો વિકલ્પ આપશે જેથી કરીને ડેથ સર્ટિફિકેટ ફરીથી આપી શકાય.
જોકે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામુ અપાયું હતું. તેમાં સરકારે આ અંગે અસમર્થ હોવાની જાણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવું કરવું અશક્ય છે, સરકારનું ધ્યાન અત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ટરને વધારે મજબૂત કરવા કેન્દ્રીત છે. કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે 4 લાખ રૂપિયાનું વળતર કોઈ અકસ્માત કે ગંભીર પરસ્થિતિમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને આપવામાં આવે છે, મહામારીના સમયે આ પ્રમાણેની સહાયતા કરવી શક્ય નથી.
હકીકતમાં, કેન્દ્ર દ્વારા કોરોના પીડિતોના પરિવારને વળતરની વિનંતી કરવામાં આવતી અરજીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ સોગંદનામામાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેની સાથે “નાણાકીય શક્તિનો કોઈ મુદ્દો નથી”. પરંતુ રાષ્ટ્રના સંસાધનોના તર્કસંગત, ન્યાયી અને શ્રેષ્ઠ ઉપયોગને ધ્યાનમાં રાખીને, કોવિડને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ચાર લાખની ભૂતપૂર્વ પ્રદાન કરી શકાતી નથી.
21 જૂને સુપ્રીમ કોર્ટે બે પીઆઈએલ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો જેમાં કેન્દ્ર અને રાજ્યોને કાયદા હેઠળ વળતર રૂપે દરેક રૂ .4 લાખ ચૂકવવા અને કોરોનાવાયરસને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને મૃત્યુ પ્રમાણપત્ર આપવાની વિનંતી કરી હતી. માટે સમાન નીતિ ઘડવા માટે બનાવવામાં આવી હતી કોર્ટ બે અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.