ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 29,451 પર પહોંચ્યા, એક જ દિવસમાં 1561 પોઝિટિવ કેસનો વધારો
કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1561 વધીને 29,451 પર પહોંચી ગઈ છે. અને વધુ 58 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 939 પર પહોંચી ગયો છે. તો 7 હજાર 137 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં […]
કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1561 વધીને 29,451 પર પહોંચી ગઈ છે. અને વધુ 58 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 939 પર પહોંચી ગયો છે. તો 7 હજાર 137 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 369 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 8 હજાર 590 કેસ પોઝિટિવ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 522 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દિલ્લીમાં નવા 190 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 3 હજાર 108 થઈ ગયો છે અને 54 લોકોનાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 75 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 2,165 પર પહોંચી ગયો છે. અને 110 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 1937 કેસ અને 24નાં મોત થયા છે. રાજસ્થાનમાં 2262 કેસ અને 50નાં મોત થયા છે. તો ઉત્તરપ્રદેશમાં 1986 કેસ અને 31નાં મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો