Corona News : કોરોનાથી લડો પીએમ મોદી સાથે નહિ ડૉ. હર્ષવર્ધનનો હેમંત સોરેનને જવાબ
Corona News : કોરોના સંકટ વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ટ્વીટ પર હવે રાજકીય નિવેદનબાજી વધી ગઇ છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને આસામના મંત્રી હેમંત બિસ્વા સરમા બાદ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને હેમંત સોરેન પર નિશાન સાધ્યો છે. ડૉ હર્ષવર્ધને લખ્યુ કે આ સમય કોરોના સામે લડવાનો છે. પીએમ સાથે લડવાનો નથી.
Corona News : કોરોના સંકટ વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ટ્વીટ પર હવે રાજકીય નિવેદનબાજી વધી ગઇ છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને આસામના મંત્રી હેમંત બિસ્વા સરમા બાદ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને હેમંત સોરેન પર નિશાન સાધ્યો છે. ડૉ હર્ષવર્ધને લખ્યુ કે આ સમય કોરોના સામે લડવાનો છે. પીએમ સાથે લડવાનો નથી. આરોગ્યમંત્રીએ આરોપ પણ લગાવ્યો કે પીએમ પર ટિપ્પણી કરીને હેમંત પોતાની સરકારની નિષ્ફળથા છુપાવવા ઇચ્છે છે.
હેમંત સોરનના ટ્વીટનો જવાબ આપતા હર્ષવર્ધને લખ્યુ કે સીએમ હેમંત સોરેન કદાચ પોતાના પદની ગરિમા ભૂલી ગયા છે. કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિને લઇ દેશના પીએમ પર કોઇ નિવેદન આપતા સમયે તેમણે એ ન ભૂલવુ જોઇએ કે આ મહામારીનો અંત સામૂહિક પ્રયાસોથી સંભવ છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પોતાના મનની ભડાસ પીએમ મોદી પર કાઢવી નિંદનીય છે. બીજા ટ્વીટમાં હર્ષવર્ધને કહ્યુ કે કેન્દ્ર સરકારે કોરોના સંકટકાળમાં જ્યાં ગરીબો અને જરુરિયાતમંદ લોકો માટે ખજાના ખોલી દીધા છે ત્યાં ઝારખંડ સરકારે પોતાના ખજાનનું મોઢું બંધ કરીને રાખેલુ છે. હેમંત સોરેન ઇચ્છે કે દરેક કામ કેન્દ્ર સરકાર કરે. કોરોનાથી લડો પીએમથી નહી.
श्री @HemantSorenJMM जी शायद अपने पद की गरिमा को भूल गए हैं।#COVID19 से उत्पन्न स्थिति को लेकर देश के PM पर कोई बयान देते समय उन्हें यह नहीं भूलना चाहिए कि इस महामारी का अंत सामूहिक प्रयासों से ही संभव है। अपनी नाकामी छिपाने के लिए अपने मन की भड़ास PM पर निकालना निंदनीय है। https://t.co/AoQbyA3u2e
— Dr Harsh Vardhan (@drharshvardhan) May 7, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે આંધ્ર પ્રદેશ.ઓડિસા,ઝારખંડ અને તેલગાંણાના મુખ્યમંત્રીઓને કોરોના સંકટ પર વાત કરી હતી. ત્યારબાદ ઝારખંડના સીએમ હેમંત સોરેને ટ્વીટી કર્યુ હતુ.કે આદરણીય પ્રધાનમંત્રીજીએ ફોન કર્યો તેમણે માત્ર પોતાના મનની વાત કરી સારુ હોત જો તેઓએ કામની વાત કરતા અને કામની વાત સંભળાવતા