લોકડાઉન પૂર્ણ થયા બાદ શરૂ થશે ટ્રેન-વિમાન સેવા?, જાણો સરકાર શું વિચારી રહી છે!
દેશના ખૂણાં ખૂણામાં લાખો લોકો એવા છે જે લોકડાઉનના લીધે ફસાયા છે. દેશમાં કોરોના વાઈરસના લીધે સરકારે લોકડાઉનનો સમયગાળો વધારી દીધો છે અને તેના લીધે ટ્રેન સેવા કે વિમાન સેવા શરૂ કરવામાં આવી નથી. જો કે લોકડાઉન 3 મેના રોજ ખતમ થવા જઈ રહ્યું છે ત્યારે મજૂરો અને ફસાયેલા લોકો આશા રાખી રહ્યાં છે કે […]
દેશના ખૂણાં ખૂણામાં લાખો લોકો એવા છે જે લોકડાઉનના લીધે ફસાયા છે. દેશમાં કોરોના વાઈરસના લીધે સરકારે લોકડાઉનનો સમયગાળો વધારી દીધો છે અને તેના લીધે ટ્રેન સેવા કે વિમાન સેવા શરૂ કરવામાં આવી નથી. જો કે લોકડાઉન 3 મેના રોજ ખતમ થવા જઈ રહ્યું છે ત્યારે મજૂરો અને ફસાયેલા લોકો આશા રાખી રહ્યાં છે કે ટ્રેન સેવા ફરીથી શરૂ કરવામાં આવશે અને તેઓ પોતાના વતન સુધી પહોંચી શકશે. એક હાઈલેવલની બેઠક રાજનાથસિંહના ઘરે મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સેવા 3મે શરૂ થઈ શકશે નહીં. કોરોના વાઈરસના વધતાં જતાં કેસના લીધે આ સેવા લોકડાઉન પૂર્ણ થાય તરત જ ચાલુ થઈ શકે તેમ નથી. જો કે સરકાર મજૂરો કે ફસાયેલા લોકો માટે નોનસ્ટોપ ટ્રેન દોડાવી શકે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આમ આ નિર્ણય પીએમ મોદી જ લેશે તે નક્કી છે અને તે બાદ અમલવારી થઈ શકશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]