Corona India Update: દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોના કેસ, એક દિવસમાં નવા 1.14 લાખ કેસ અને 2681 લોકોના મોત

દેશમાં ધીમે ધીમે કોરોનાની બીજી લહેર હાંફી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1 લાખ 14 હજાર નવા કેસ સામે આવ્યા છે.

Corona India Update: દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોના કેસ, એક દિવસમાં નવા 1.14 લાખ કેસ અને 2681 લોકોના મોત
File Photo
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 7:44 AM

દેશમાં ધીમે ધીમે કોરોનાની બીજી લહેર હાંફી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1 લાખ 14 હજાર નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ (Corona Case) 2 લાખથી ઓછા આવી રહ્યાં છે. કેસમાં 68 ટકાનો ઘટાડો થયો છે. 66 ટકા કેસ 5 રાજ્યોમાંથી આવી રહ્યાં છે. 33 ટકા કેસ 31 રાજ્યોથી આવી રહ્યાં છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. વર્તમાનમાં 92.5 ટકા કોરોનાનો રિકવરી દર છે.

રાજ્યમાં કૂદકેને ભૂસકે વધી રહેલો કોરોના હવે નબળો પડી રહ્યો છે. 82 દિવસ પછી પહેલીવાર એક હજારથી ઓછા નવા કેસ નોધાયા છે. પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક ઘટતા તંત્ર સાથે નાગરિકોએ પણ રાહતનો દમ લીધો છે. રાજ્યમાં 996 કેસ સાથે 15 દર્દીઓના મૃત્યુ થયા, તો 24 કલાકમાં 3,004 દર્દી સાજા થવાની સાથે કુલ 7 લાખ 85 હજાર 378 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે.

કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,921 પર પહોંચ્યો છે. રાજ્યમાં હવે 20 હજાર 087 એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 382 પર પહોંચી છે. કોરોનાકાળમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 96.32 ટકા પર પહોંચ્યો છે, જ્યારે 30 જિલ્લામાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નથી થયું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લમાં 149 નવા કેસ સાથે 4 દર્દીઓના મૃત્યુ થયા. સુરત જિલ્લામાં 127 નવા કેસ આવ્યા, સુરત જિલ્લામાં કુલ 3 મોત થયા, તો વડોદરા જિલ્લામાં 211 નવા કેસ સાથે 2 દર્દીઓના મૃત્યુ થયા. આ તરફ રાજકોટ જિલ્લામાં 77 નવા કેસ સાથે 1 દર્દીનું મૃત્યુ થયું, તો જામનગર જિલ્લામાં 36 કેસ સાથે 1 દર્દીના મૃત્યુ થયા.

રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં 2 લાખ 63 હજાર 507 લોકોએ રસી મુકાવી. જેમાંથી 2,892 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો, તો 3578 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો.

45થી મોટી ઉંમરના 37 હજાર 664 લોકોને પ્રથમ ડોઝ અને 21 હજાર 268 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો. 18 થી 45 વર્ષના 1 લાખ 98 હજાર 123 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અપાયો. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 1 કરોડ 81 લાખ 78 હજાર 319 લોકોનું રસીકરણ કરાયું.

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">