કોરોના: દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, વડાપ્રધાને કરી જાહેરાત
ભારતમાં લોકડાઉનના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ. વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ કોરોના વૈશ્વિક મહામારીની સામે ભારતની લડાઈ ખુબ જ મજબૂતીની સાથે આગળ વધી રહી છે. દેશના લોકોના ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થતાં નુકસાનને ખૂબ હદ સુધી ટાળવામાં સફળ રહ્યું છે. #Breaking | Lockdown extended until May 3: PM @narendramodi. #ModiMangalMessage #TV9News […]
ભારતમાં લોકડાઉનના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ. વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ કોરોના વૈશ્વિક મહામારીની સામે ભારતની લડાઈ ખુબ જ મજબૂતીની સાથે આગળ વધી રહી છે. દેશના લોકોના ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થતાં નુકસાનને ખૂબ હદ સુધી ટાળવામાં સફળ રહ્યું છે.
#Breaking | Lockdown extended until May 3: PM @narendramodi. #ModiMangalMessage #TV9News #CoronavirusLockdown pic.twitter.com/0H9glGzOMa
— tv9gujarati (@tv9gujarati) April 14, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. તેથી આપણે હોટસ્પોટને લઈ ખુબ જ સતર્કતા રાખવી પડશે. જે સ્થળોને હોટસ્પોટમાં બદલવાની આશંકા છે. તેની પર પણ નજર રાખવી પડશે. નવું હોટ સ્પોટ બનવું, આપણા પરિશ્રમ અને આપણી તપસ્યાને પડકાર આપશે.
વધુમાં વડાપ્રધાને કહ્યું કે આગામી એક સપ્તાહમાં કોરોનાની સામે લડાઈમાં કઠોરતા વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક જિલ્લા, દરેક રાજ્યમાં તપાસ થશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે. તે ક્ષેત્રએ કોરોનાથી પોતાને કેટલું બચાવ્યું છે. તે જોવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો