Delhi માં 7 જૂન સુધી અમલમાં રહેશે કોરોના કરફ્યુ, પ્રતિબંધો ચાલુ રહેશે

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં 7 જૂનના સવારે પાંચ વાગ્યા સુધી Corona કરફ્યુ વધારવામાં આવ્યો છે. પ્રતિબંધો પહેલાની જેમ ચાલુ રહેશે. જો કે મેન્યુફેકચરીંગ અને બાંધકામ ઉદ્યોગને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ માહિતી આપી હતી.

Delhi માં 7 જૂન સુધી અમલમાં રહેશે કોરોના કરફ્યુ, પ્રતિબંધો ચાલુ રહેશે
Delhi માં 7 જૂન સુધી અમલમાં રહેશે કોરોના કરફ્યુ
Follow Us:
| Updated on: May 29, 2021 | 10:25 PM

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં 7 જૂનના સવારે પાંચ વાગ્યા સુધી Corona કરફ્યુ વધારવામાં આવ્યો છે. પ્રતિબંધો પહેલાની જેમ ચાલુ રહેશે. જો કે મેન્યુફેકચરીંગ અને બાંધકામ ઉદ્યોગને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ માહિતી આપી હતી.

દિલ્હી (Delhi)સરકારે કહ્યું કે પોઝિટિવિટી રેટ ઘટાડવા અને કોરોના ચેપ સાંકળને તોડવા માટે નિયંત્રણોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દિલ્હી સરકારે બે ઉદ્યોગો – મેન્યુફેકચરીંગ અને બાંધકામને મુક્તિ આપી છે. સરકારે પોતાના આદેશમાં કહ્યું છે કે Coronaના પ્રોટોકોલ મુજબ આ બંને ઉદ્યોગોના કર્મચારીઓને કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

.7 જૂન સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

દિલ્હી સરકારે કહ્યું કે તે વાયરસના ફેલાવાને અટકાવવા માટે તબક્કાવાર રીતે રાજધાનીને ફરીથી અનલોક કરશે. 7 જૂન સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. આવશ્યક પ્રવૃત્તિઓ અને સેવાઓ માટે આપવામાં આવતી મુક્તિ અગાઉની જેમ ચાલુ રહેશે. આવશ્યક ચીજો અને સેવાઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા રાખેલ ઇ-પાસ ટ્રાફિક માટે પહેલાની જેમ માન્ય રહેશે.

દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસો 1000 ની નીચે 

આ ઉપરાંત દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસો 1000 ની નીચે ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 956 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 122 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 2380 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

દિલ્હીમાં આ નવા કેસો સાથે હવે કોરોનાના કુલ ચેપના કેસોની સંખ્યા 14,24,646 પર પહોંચી ગઇ છે. જ્યારે આ રોગથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 13,87,538 થઈ છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 24,073 થઈ ગઈ છે. હાલમાં દિલ્હીમાં કોરોના ચેપના 13,035 સક્રિય કેસ છે.

પોઝિટિવિટી રેટ 1.19 ટકા

દિલ્હીમાં પોઝિટિવિટી રેટ આજે વધુ ઘટાડો નોંધાયો છે. હવે શહેરમાં પોઝિટિવિટી રેટ 1.19 ટકા પર આવી ગયો છે. શહેરમાં 29 મેના ડેટા અનુસાર 80473 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 56 હજારથી વધુ આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી દ્વારા રસીકરણ ડ્રાઇવનું ઉદઘાટન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે છત્રસલ સ્ટેડિયમ ખાતે રસીકરણ ડ્રાઇવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. સીએમએ કહ્યું કે, દિલ્હીમાં કેસની સંખ્યા ઘટશે તેમ અમે વધુ પ્રવૃત્તિઓ શરૂ થવા દઇશું. સોમવારથી દિલ્હીમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, જે અંતર્ગત બાંધકામ અને મેન્યુફેકચરીંગ યુનિટોને નિયમો સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">