પંજાબમાં પણ કોરોનાનો ફુંફાડો, રાત્રિ કર્ફ્યુમાં બે કલાકનો વધારો

Punjab: પંજાબમાં સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સરકારે પંજાબમાં રાત્રિ કર્ફ્યુના સમય વધાર્યો છે. હવે રાત્રે 11 વાગ્યાની જગ્યાએ રાત્રે 9 વાગ્યાથી બહાર નીકળવાની મનાઈ રહેશે.

પંજાબમાં પણ કોરોનાનો ફુંફાડો, રાત્રિ કર્ફ્યુમાં બે કલાકનો વધારો
FIle photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 18, 2021 | 4:50 PM

Punjab: પંજાબમાં સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સરકારે પંજાબમાં રાત્રિ કર્ફ્યુના સમય વધાર્યો છે. હવે રાત્રે 11 વાગ્યાની જગ્યાએ રાત્રે 9 વાગ્યાથી બહાર નીકળવાની મનાઈ રહેશે. પ્રતિબંધ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે ગુરુવારે ચંદીગઢમાં આ જાહેરાત કરી હતી. Punjabમાં લુધિયાણા, પટિયાલા, મોહાલી, જલંધર, કપૂરથલા, રોપર, અમૃતસર, ફિરોઝપુર અને ફતેહગઢ સાહિબમાં રાત્રી કર્ફ્યુ લંબાવાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જે જિલ્લાઓમાં કોરોનાના 100થી વધુ કેસ છે, ત્યાં નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.

પંજાબમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રોગચાળાએ વધુ 35 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 2039 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન જલંધર જિલ્લામાં મહત્તમ 277 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 6,172 પર પહોંચી ગઈ છે. હાલમાં 13,320 દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 283 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર અને 27 વેન્ટિલેટર પર છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે પંજાબમાં ચેપનું પ્રમાણ હવે 6.8 ટકા છે. આ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આ બતાવે છે કે કોરોના માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

દેશમાં કોરોનાનો હાહાકાર, કેસોમાં 150 ટકાનો વધારો 

બુધવારે  કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર અને પંજાબમાં કોવિડના ઝડપથી વધી રહેલા કેસો અંગે સૌને જાગૃત રહેવાની અપીલ કરી છે. વાસ્તવમાં છેલ્લા 15 દિવસમાં દેશના 16 રાજ્યોના 70 જિલ્લાઓમાં Coronaના કેસોમાં 150%નો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે નવી દિલ્હીમાં બુધવારે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોવિડ -19 પર કરવામાં આવેલા કામ, તૈયારીઓ અને નવીનતમ અપડેટ્સ વિશે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે દેશના કેટલાક રાજ્યોમાં કોરોના કેસની વધતી સંખ્યા હોવા છતાં Coronaના સક્રિય કેસ 2 ટકા છે અને દેશભરમાં મૃત્યુ દર 2 ટકાથી ઓછો છે.

તેમણે એમ પણ કહ્યું કે દેશમાં કમ્યુલેટિવ પોઝિટિવીટીનો દર 5 ટકાથી નીચે આવી ગયો છે. તે જ સમયે, જો તમે છેલ્લા એક અઠવાડિયાના કેસ પોઝિટિવિટી રેટ પર નજર નાખો તો તે 3 ટકા છે, જ્યારે અન્ય રાજ્યોમાં સકારાત્મકતાનો દર 16 ટકા અને તો 8 ટકા પણ છે. આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે દેશે છેલ્લા એક વર્ષ અને બે મહિનામાં મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. તેમણે કહ્યું કે કોવિડના કેસો દેશમાં માર્ચ 2020થી વધવા માંડ્યા અને સપ્ટેમ્બરના મધ્યમાં દરરોજ લગભગ 97 હજાર કેસ નોંધાયા હતા. આ પછી, સપ્ટેમ્બરના મધ્યથી તેમની સંખ્યામાં સતત ઘટાડો થયો. સરેરાશ દરરોજ કોરોના કેસનો દર ઘટીને સરેરાશ 9 હજાર થઈ ગયો હતો. પરંતુ આ દર ફરીથી વધવા લાગ્યો છે.

આ પણ વાંચો: Share Market: પ્રારંભિક તેજી છતાં સતત પાંચમાં દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું, SENSEX 585 અંક તૂટ્યો

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">