Corona Breaking: કેરળ સરકારનો મોટો નિર્ણય, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત
રાજ્યમાં વિતેલા મંગળવારે કોરાનાના 22129 નવા મામલા સામે આવ્યા, જો કે 29 મે બાદ એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ મોટી
Corona Breaking: કોરોનાનાં વધતા કેસને લઈ કેરળ સરકારે (Keral Govt) મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉન (Complete Lock Down)ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ પૂર્ણ પણે લોકડાઉન (Lockdown) લગાડી દેવામાં આવ્યું હતું. કેરળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના જેટલા દર્દી સામે આવી રહ્યા છે તે દેશમાં કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધા ઉપરાંતનાં કેરળનાં જ છે. રાજ્યમાં વિતેલા મંગળવારે કોરાનાના 22129 નવા મામલા સામે આવ્યા, જો કે 29 મે બાદ એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ મોટી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનાં જણાવ્યા પ્રમાણે સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (National Centre for Disease Control)ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળ મોકલી ચુકી છે, કેમ કે કેરળમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
Complete lockdown to be imposed in #Kerala on 31st July and 1st August due to rising COVID19 cases in the state pic.twitter.com/I31OvXGSoJ
— ANI (@ANI) July 29, 2021