Delhi: 12 ડિસેમ્બરે ‘મોંઘવારી હટાઓ રેલી’નું આયોજન કરશે કોંગ્રેસ, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી જાહેર સભાને સંબોધશે

કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીએ 12મી ડિસેમ્બરે દિલ્હીમાં એક વિશાળ "મોંઘવારી હટાવો રેલી"નું આયોજન કરીને મોંઘવારી તરફ દેશનું ધ્યાન દોરવાનું નક્કી કર્યું છે.

Delhi: 12 ડિસેમ્બરે 'મોંઘવારી હટાઓ રેલી'નું આયોજન કરશે કોંગ્રેસ, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી જાહેર સભાને સંબોધશે
Congress President Sonia Gandhi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 10:00 PM

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) મોંઘવારી સામે તેમની પાર્ટીના અભિયાનના ભાગરૂપે 12 ડિસેમ્બરે દિલ્હીમાં એક જાહેર સભાને સંબોધશે. AICCના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે (KC Venugopal) કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીએ 12મી ડિસેમ્બરે દિલ્હીમાં એક વિશાળ “મોંઘવારી હટાવો રેલી”નું આયોજન કરીને મોંઘવારી તરફ દેશનું ધ્યાન દોરવાનું નક્કી કર્યું છે.

આ રેલીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દેશભરમાંથી કોંગ્રેસના અન્ય નેતાઓ સંબોધિત કરશે. તેમણે કહ્યું “આ વર્તમાન મોદી સરકારને તેની લૂંટ બંધ કરવા અને કમરતોડ કિંમતો ઘટાડવા માટે નિર્ણાયક ચેતવણી આપશે. જ્યાં સુધી મોદી સરકાર પીછેહઠ નહીં કરે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

‘મોદી અને મોંઘવારી લોકોના જીવનનો અભિશાપ’

કોંગ્રેસના નેતાએ કહ્યું કે “મોદી અને મોંઘવારી લોકોના જીવન માટે અભિશાપ બની ગયા છે” અને અભૂતપૂર્વ મુલ્ય વૃદ્ધિ મોંઘવારીએ દેશના દરેક પરિવારની કમાણી, ઘરની આવક અને બજેટને ધ્વસ્ત કરી દીધું છે. તેમણે કહ્યું કે ભારતની જનતા ભાજપ સરકાર દ્વારા સંચાલિત ભાવ વધારા અને મોંઘવારીને કારણે અસહ્ય ક્રૂરતા અને અસહ્ય પીડાનો સામનો કરી રહી છે.

તેમણે આરોપ લગાવ્યો કે દરેક ઘરનું બજેટ ખરાબ થાય છે. ત્યાં સુધી કે ન્યૂનતમ પોષણને પણ અસર કરે છે અને લોકોને રોજબરોજની ખાદ્ય ચીજવસ્તુઓ સાથે અન્ય વસ્તુઓની ખરીદી અને વપરાશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસ મોંઘવારી મુદ્દે વિરોધ કરી રહી છે અને તેના પર રોક લગાવવાની માંગ કરી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાંધણ તેલ, કઠોળ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં થયેલા નિર્દય વધારાથી દરેક ઘર પ્રભાવિત છે અને કદાચ પહેલીવાર ભારતમાં ટામેટાના ભાવ પેટ્રોલ અને ડીઝલના ભાવને પાર કરી ગયા છે.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સિમેન્ટ, આયર્ન અને સ્ટીલ જેવી બિલ્ડિંગ મટિરિયલની કિંમતમાં લગભગ 40 ટકાથી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ધીમે ધીમે બધું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો :  1 Year of Farmers Protest: દિલ્હી ગાઝીપુર બોર્ડર પર રાષ્ટ્રગીત ગાઈને ખેડૂતોએ બંધારણ દિવસની ઉજવણી કરી, ટિકૈતે કહ્યું આંદોલનને સમાપ્ત કરવાની હજુ સુધી કોઈ યોજના નથી

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">