સીતા માતાનું ચીરહરણ બોલ્યા બાદ ફસાયા રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ નેતાની જીભ લપસી, ભાજપ નેતા આક્રોશિત

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala) પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સત્ય, લોકશાહી, કાયદો અને નૈતિકતાની જીત થશે. કોંગ્રેસ નેતાએ ભાજપ પર લોકશાહીનું 'ચીરહરણ' કરવાનો આરોપ લગાવ્યો.

સીતા માતાનું ચીરહરણ બોલ્યા બાદ ફસાયા રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ નેતાની જીભ લપસી, ભાજપ નેતા આક્રોશિત
Randeep SurjewalaImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 10:34 PM

રાજસ્થાનના (Rajasthan)  ઉદેપુરમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala) પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શુકવારની  રાજ્યસભાની ચૂંટણીને લઈને તેઓએ ભાજપ પર પ્રહારો કર્યા  છે. તેમણે કહ્યું કે સત્ય, લોકશાહી, કાયદો અને નૈતિકતાની જીત થશે. કોંગ્રેસ નેતાએ ભાજપ પર લોકશાહીને “ચીરહરણ” કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ  ભાજપ પર આરોપ લગાવતા તેમની જીભ લપસી ગઈ. સુરજેવાલાએ કહ્યું કે ભાજપ  લોકશાહીનું  એ જ રીતે ચીરહરણ કરવા માંગે છે જેવી રીતે માતા સીતાનું થયું હતું.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપ ગમે તેટલી કોશિશ કરે, તેની હાર થશે. તેનો માસ્ક ઉતરી જશે. કોંગ્રેસના નેતાએ  માતા સીતાને ચીરહરણની વાત કહીને ખરાબ રીતે ફસાઇ ગયા છે. તેમના આ નિવેદનથી ભાજપ નેતાઓમાં આક્રોશ છે .  જીભ લપસી જતા જ રાજસ્થાનના કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભાજપના નિશાના પર આવી ગયા છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે સુરજેવાલાએ આવું નિવેદન કરીને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સુરજેવાલા પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ

‘કોંગ્રેસ હિન્દુઓને આટલી નફરત કેમ કરે છે’?

રણદીપ સુરજેવાલાના વિવાદિત નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે તેમના પર પ્રહારો કર્યા છે. તેમણે રાજ્યસભાના ઉમેદવાર પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને પૂછ્યું, ‘કોંગ્રેસ હિન્દુઓને આટલી બધી નફરત કેમ કરે છે? મંદિરે મંદિરે ચૂંટણી પ્રવાસ કરનારા રાહુલ ગાંધી ગમે તેમ કરીને હિન્દુત્વ જેવા પવિત્ર શબ્દથી ચિડાય છે. તેમની પાર્ટી ભગવાન રામનું અપમાન કરતી રહે છે. કોંગ્રેસ નેતાએ માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરીને ફરી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે.

લોકશાહીનું ‘ચીરહરણ’ કરી રહી છે ભાજપ-સુરજેવાલા

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. આ દરમિયાન આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચાલુ છે. રાજસ્થાનના રાજ્યસભાના ઉમેદવારે ભાજપ  પર કટાક્ષ કરતી વખતે માતા સીતાનું નામ લેતા જ ભાજપમાં ભડકો થયો. પોતાના વિવાદિત નિવેદન બાદ સુરજેવાલા ભાજપના  નિશાના પર આવી ગયા છે. ભાજપ  સાંસદે તેમને પૂછ્યું છે કે કોંગ્રેસ હિન્દુઓને આટલી બધી નફરત કેમ કરે છે.સુરજેવાલાએ કહ્યું કે ભાજપ  લોકશાહીનું  એ જ રીતે ચીરહરણ કરવા માંગે છે જેવી રીતે માતા સીતાનું થયું હતું. જો કે  સુરજેવાલાએ દ્રૌપદીની જગ્યાએ માતા સીતાનું નામ લઈને રાજકીય તોફાન સર્જી દીધું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">