કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનનો દાવો, બોયકોટ ચાઈના કેમ્પેઈન હેઠળ 75% આયાત ચાઈનાથી થઈ ઓછી, રક્ષાબંધન પર પણ નહી આવે હવે ચાઈનીઝ સામાન
બોયકોટ ચાઈના કેમ્પેઈન હેઠળ દેશમાં આગળ ધપી રહેલા અભિયાન વચ્ચે દિલ્હી સ્થિત કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશને ટીવી નાઈન સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે ચાઈનાથી ભારત આવતા ઈલેકટ્રોનીક્સ સામાન કે જેમાં મોબાઈલનો પણ સમાવેશ થાય છે તેની આયાતમાં 75% સુધીનો ઘટાડો નોંધાયો છે. ભારતભરમાંથી તેમને મળેલા આંકડા મુજબ ચાઈનીઝ સામાનનો સંપૂર્ણ પણે બહિષ્કાર […]
બોયકોટ ચાઈના કેમ્પેઈન હેઠળ દેશમાં આગળ ધપી રહેલા અભિયાન વચ્ચે દિલ્હી સ્થિત કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશને ટીવી નાઈન સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે ચાઈનાથી ભારત આવતા ઈલેકટ્રોનીક્સ સામાન કે જેમાં મોબાઈલનો પણ સમાવેશ થાય છે તેની આયાતમાં 75% સુધીનો ઘટાડો નોંધાયો છે. ભારતભરમાંથી તેમને મળેલા આંકડા મુજબ ચાઈનીઝ સામાનનો સંપૂર્ણ પણે બહિષ્કાર ચાલી રહ્યો છે.
બોયકોટ ચાઈના અભિયાન વચ્ચે તેમણે મોટી જાહેરાત એ પણ કરી હતી કે આ વખતે રક્ષાબંધન સંપૂર્ણપણે ભારતીય સામાનથી ઉજવાશે. તેમનો કોઈ પણ ટ્રેડર્સ રાખડીની કોઈ પણ વસ્તું ચાઈનાથી ઈમ્પોર્ટ નહી કરે. જે દેશનાં ઉત્પાદકો છે તેમને કોઈ પણ સ્તરે જરૂર હશે તો તેઓ કૈટનો સંપર્ક કરી શકશે.