શ્રીલંકાની આર્થિક સ્થિતિની તુલના ભારત સાથે કરવીએ મૂર્ખામી, પરંતુ બોધપાઠ લેવો જરૂરી: અરવિંદ પનગઢિયા

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા (Arvind Pangariya)એ જણાવ્યુ છે કે શ્રીલંકાની આર્થિતિ સ્થિતિની તુલના ભારત સાથે કરવી મૂર્ખામી છે.

શ્રીલંકાની આર્થિક સ્થિતિની તુલના ભારત સાથે કરવીએ મૂર્ખામી, પરંતુ બોધપાઠ લેવો જરૂરી: અરવિંદ પનગઢિયા
Arvind Panagariya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 5:29 PM

નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા (Arvind Pangariya) માને છે કે શ્રીલંકાની આર્થિક સ્થિતિ (Sri Lanka Economic Crisis) ની ભારત સાથે સરખામણી કરવી મૂર્ખામી છે. જો કે, આ સાથે, તેમણે કહ્યું કે આપણે આ ટાપુ દેશના વર્તમાન સંકટમાંથી બોધોપાઠ લેવો જોઈએ. પનગઢિયાએ જણાવ્યું કે 1991ના બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટી પછી દેશની સરકારોએ અર્થવ્યવસ્થાને સંકુચિત રીતે સંચાલિત કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી રાજકોષીય ખાધને બહાર જવા દેવામાં આવી નથી. ચાલુ ખાતાની ખાધને ઓછી રાખવા માટે વિનિમય દરોમાં ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી રોકવા માટે નાણાકીય નીતિમાં પગલાં લેવામાં આવ્યા છે. નાણાકીય મૂડીનો પ્રવાહ જાણી જોઈને ખોલવામાં આવ્યો છે.

પનગઢિયાએ કહ્યું કે ભારત અને શ્રીલંકા(Sri Lanka) સરખામણી કરવી હાસ્યાસ્પદ છે. ભારતે તેની રાજકોષીય ખોટને પાટા પર લાવવા માટે વિદેશમાંથી લોન નથી લીધી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતમાં ઘણું બધું શ્રીલંકા જેવું લાગે છે, સરકારે લોકોનું ધ્યાન ભટકાવવું ન જોઈએ. પનગઢિયાને આ અંગે જ પૂછવામાં આવ્યું હતું. શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે ભારત સતત તેના પડોશી દેશોની મદદ કરી રહ્યુ છે.

શ્રીલંકાના અનુભવમાંથી બોધપાઠ લેવો જોઈએ: પનગઢિયા

બેરોજગારીના મુદ્દે પનગઢિયાએ કહ્યું હતું કે ભારતની સમસ્યા બેરોજગારી નથી પરંતુ ઓછા રોજગાર અથવા ઓછી ઉત્પાદકતાવાળા રોજગારની સમસ્યા છે. કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર પનાગઢિયાએ જણાવ્યું હતું કે, “આપણે એવી નોકરીઓ દેવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમાં લોકો સારી આવક મેળવી શકે.” કોવિડ-19 મહામારીના વર્ષમાં એટલે કે 2020-21માં પણ ભારતમાં બેરોજગારીનો દર માત્ર 4.2 ટકા હતો, જે 2017-18માં 6.1 ટકાથી ઓછો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેટલીક ટીકાઓ સાચી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે: પનગઢિયા

કેટલાક નિષ્ણાતોના સત્તાવાર આર્થિક આંકડાઓ પર સવાલ ઉઠાવવાના મુદ્દે, પનગઢિયાએ કહ્યું કે દેશનો GDP, પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) અને અન્ય કલેક્શનના આંકડા આંતરરાષ્ટ્રીય સ્તરે સરખામણી કરતાં વધુ સારા લાગે છે. તેમણે કહ્યુ કે “કેટલીક ટીકાઓ સાચી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે, અમારે અમારા ડેટા કલેક્શનની રિસ્ટ્રક્ચરિંગમાં વધુ રોકાણ કરવાની જરૂર છે”.

આ સાથે તેમણે કહ્યું કે ખરાબ ઈરાદા સાથે કરવામાં આવતી કેટલીક ટીકાઓને નજરઅંદાજ કરવી જોઈએ. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ધ ઈકોનોમિસ્ટ અને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે ભારતમાં કોવિડથી થયેલા મોતોના વૈકલ્પિક અંદાજો આપ્યા છે. તેમણે કહ્યુ “આ પ્રકારના ઉચ્ચ ધોરણોના માપદંડોને તેમણે તેમને ત્યાં અપનાવવા જોઈએ. તેમના આકલનની પદ્ધતિમાં પણ ઘણી ખામીઓ છે.”

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">