CJI રમન્નાએ કહ્યું ”વિદેશી કંપનીઓએ રસીના માર્ગમાં અવરોધો મૂક્યા”, બાયોટેકની કરી પ્રશંસા
એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે ફાઈઝરથી લઈને તમામ વિદેશી કંપનીઓ આ અભિયાનમાં સામેલ છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલી રસીની માન્યતા રોકવા માટે WHOને ફરિયાદ કરવામાં આવી હતી.
ભારત નિર્મિત કોવિડ 19 રસી (Covid 19 vaccine)ની માન્યતાના માર્ગમાં ઘણા અવરોધો આવ્યા હતા. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ (Multinational company)એ તેને માન્યતા મળવાથી રોકવાનો પ્રયાસ કર્યો. આ અંગે WHOને ફરિયાદ (Complaint) પણ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (Chief Justice of India) એનવી રમન્નાએ આ વાત કહી છે.
તેમણે હૈદરાબાદ (Hyderabad)માં રોમિનેની ફાઉન્ડેશન એવોર્ડ સમારોહ (Awards Ceremony)માં આ નિવેદન આપ્યુ હતુ.CJI જસ્ટિસ રમન્નાએ કહ્યું કે કોરોનાની સ્વદેશી રસી (vaccine) કોવેક્સિનને બદનામ કરવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રસીની માન્યતા રોકવા WHOમાં ફરિયાદ કરી
એક મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું કે ફાઈઝરથી લઈને તમામ વિદેશી કંપનીઓ આ અભિયાનમાં સામેલ છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલી રસીની માન્યતા રોકવા માટે WHOને ફરિયાદ કરવામાં આવી હતી. આ અવસર પર જસ્ટિસ રમન્નાએ ફાઉન્ડેશન વતી ભારત બાયોટેકના સ્થાપકો કૃષ્ણા ઈલા અને સુચિત્રા ઈલાનું પણ સન્માન કર્યું હતું. આ દરમિયાન ન્યાયાધીશે બંનેની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે બંનેએ દેશને ખ્યાતિ અપાવી અને આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો.
મંજૂરીમાં લાંબો સમય લાગ્યો
આ ઈવેન્ટ દરમિયાન જસ્ટિસ રમન્નાએ એમ પણ કહ્યું હતું કે આ રસી બનાવવાની અમારી તેલુગુ કંપનીની મહાનતા વિશે દુનિયાને જણાવવા માટે તમામ તેલુગુ લોકોએ આગળ આવવું જોઈએ. નોંધપાત્ર રીતે રસીની મંજૂરીમાં ઘણો સમય લાગ્યો. આ કિસ્સામાં WHO અધિકારીએ કહ્યું હતું કે કોઈપણ રસીના ઉપયોગને મંજૂરી આપવાના નિર્ણય માટે સંપૂર્ણ મૂલ્યાંકન જરૂરી છે. આ પ્રક્રિયામાં ક્યારેક વધુ સમય લાગી શકે છે.