CJI બોબડેનું આંદોલનકારી ખેડૂતો મુદ્દે નિવેદન, આ પ્રદર્શન તબલીગ જમાત જેવી ઘટનાને જન્મ આપી શકે છે
ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ગુરુવારે કોરોના મહામારીમા તબલીગ જમાતને મંજૂરી આપવા બદલ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર સુનવણી કરી હતી. આ દરમ્યાન તેમણે ખેડૂતોના વિરોધ પ્રદર્શનના પરિણામે Covid-19 ની ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
CJI -ભારતનાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ગુરુવારે કોરોના મહામારીમાં તબલીગ જમાતને મંજૂરી આપવા બદલ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમ્યાન તેમણે ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનનાં પરિણામે Covid-19ની ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સીજેઆઇ એસ.એ.બોબડેએ આ કેસની સુનાવણી કરી રહેલા ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે શું પ્રદર્શનકારી ખેડૂતો માટે સલામતીનાં પગલાં લેવામા આવી રહ્યા છે? તેમણે કહ્યું કે આ પ્રદર્શન તબલીગ જમાત જેવી ઘટનાને જન્મ આપી શકે તેમ છે.
સીજેઆઇએ ખેડૂતોના દિલ્હીની સરહદ પર 26 નવેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઇને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી સમાન સમસ્યા પેદા થઈ શકે છે. મને ખબર નથી કે ખેડૂતો કોવિડ -19 થી સુરક્ષિત છે કે નહિ. સીજેઆઇએ અદાલતને સૂચન કર્યું છે કે તેની સ્થિતિ અંગે તપાસ કરે. તેમણે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાની કોશિષ કરી રહ્યા છે કે કોવિડ-19 નો ફેલાવો ના થાય. એ બાબતને સુનિશ્ચિત કરીએ કે દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે