કુનોના વાતાવરણને અનુકૂલન કરવાની કોશિશ કરી રહ્યા છે ચિત્તા, નવા રહેઠાણને જોતા જોવા મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) આઠ ચિત્તા છોડ્યા હતા. આ ચિત્તા નામીબિયાથી લાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ નર ચિત્તા અને પાંચ માદાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) આઠ ચિત્તા (Cheetah) છોડ્યા હતા. આ ચિત્તા નામીબિયાથી લાવવામાં આવ્યા છે. તેમાં ત્રણ નર ચિત્તા અને પાંચ માદાનો સમાવેશ થાય છે. આઠ ચિતાઓ રવિવારે પાર્કમાં મોટાભાગના સમય માટે પોતપોતાના ખાસ વિસ્તારમાં ફરતા અને આરામ કરતા જોવા મળ્યા હતા. એવું લાગે છે કે તે ધીમે ધીમે તેના નવા વાતાવરણમાં અનુકૂળ થઈ રહ્યો છે. ચિત્તાઓની દેખરેખ અને અભ્યાસ કરતા નિષ્ણાતોએ જણાવ્યું કે આ તમામ ચિત્તાઓ તેમના નવા રહેઠાણને ખૂબ જ ધ્યાનથી જોતા રહ્યા અને સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતા હતા. તેમને કહ્યું કે આ તમામને એક મહિના માટે ખાસ વિસ્તારમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમામ ચિત્તાઓએ પણ આજે બંધમાં રાખેલ પાણી પીધું હતું. ભારત અને નામિબિયાના પશુચિકિત્સકો અને નિષ્ણાતો તેમના પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ચિત્તાઓને આપવામાં આવશે ભેંસનું માંસ
નિષ્ણાતોએ કહ્યું કે તેઓ એક મહિના સુધી ચાલતા આઈસોલેશનના સમયગાળા દરમિયાન તેમને ભેંસનું માંસ આપવા પર કામ કરી રહ્યા છે. કુનો નેશનલ પાર્કના સંચાલક ઉત્તમ કુમાર શર્માએ કહ્યું કે લોકો માને છે કે ચિત્તા ત્રણ દિવસ પછી ખાય છે. એકવાર તે શિકાર કરે છે અને તેને ખાધા પછી ત્રણ દિવસ પછી ચિત્તા તેને ફરીથી ખાય છે. ચિત્તા રોજ ખાતા નથી. બે દિવસ પહેલા નામિબિયાથી ભારત જતા પહેલા તેને ભેંસનું માંસ આપવામાં આવ્યું હતું.
ચિત્તાઓ તેમના નવા વાતાવરણને જાણવાની કોશિશ કરે છે
કુનો નેશનલ પાર્કના સંચાલક ઉત્તમ કુમાર શર્માએ કહ્યું કે તેમને આજે ભોજન આપવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગઈકાલે ચિત્તાઓ ડરી ગયા હતા, હવે તેઓ કેવી રીતે છે, તેના પર ઉત્તમ કુમાર શર્માએ કહ્યું કે હવે ચિત્તા સક્રિય છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે. તેઓ પોતાની દિનચર્યા કરતા રહે છે. તેઓ અહીં અને ત્યાં ફરે છે, બેસીને પાણી પીવે છે. તેમને કહ્યું કે ચિત્તાઓ તેમના નવા વાતાવરણને જાણવાની કોશિશ કરી રહ્યા છે.
નામ બદલવા પર નથી વિચાર
કુનો નેશનલ પાર્કના સંચાલક ઉત્તમ કુમાર શર્માએ જણાવ્યું કે આ ચિત્તાઓને નામીબિયા તરફથી નામ આપવામાં આવ્યા છે અને અમે તેમના નામ બદલ્યા નથી. અત્યારે અમે તેનું નામ બદલવાનું વિચારી રહ્યા નથી. નામીબિયાથી વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવેલા આ આઠ ચિત્તાઓને 17 સપ્ટેમ્બરે સવારે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા, ત્યારથી આ પાર્ક વિશ્વભરમાં ચર્ચામાં રહ્યું છે.
પાંચ માદા અને ત્રણ નર ચિત્તા
આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોએ 1952માં ભારતમાં ચિત્તાઓની લુપ્ત થઈ ગયેલી વસ્તીને પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે પાર્કમાં ચિત્તાઓને ખાસ વિસ્તારમાં છોડી દીધા હતા અને તે સમયે તેઓ હેરાન જોવા મળ્યા હતા. પરંતુ બાદમાં તેઓ ખસેડવા લાગ્યા હતા.