char dham Uttarakhand : યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, બદરીનાથ, કેદારનાથ સહિત ગંગોત્રી ધામના ઓનલાઇન થઇ શકશે દર્શન

Uttarakhand : ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિધ્ધ યમુનોત્રી ધામના કપાટ અખાત્રીજના પાવન પર્વ પર બપોરે 12:15 વાગે અભિજીત મૂહર્તમાં શ્રધ્ધાળુઓના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે

char dham Uttarakhand : યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, બદરીનાથ, કેદારનાથ સહિત ગંગોત્રી ધામના ઓનલાઇન થઇ શકશે દર્શન
યમુનોત્રીધામ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 14, 2021 | 4:32 PM

Uttarakhand : ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિધ્ધ યમુનોત્રી ધામના કપાટ અખાત્રીજના પાવન પર્વ પર બપોરે 12:15 વાગે અભિજીત મૂહર્તમાં શ્રધ્ધાળુઓના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે.કોરોનાકાળમાં દેશ-વિદેશથી આવનારા શ્રધ્ધાળુઓની ગેર-હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા છે.કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરતા મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં યમુનાના શીતકાલીન નિવાસ સ્થળ પર ખુશીમઠ ખરસાલીમાં માં યમુનાની વિદાઇ થઇ. જે 11 વાગે યમુનોત્રી ધામ પહોંચી વિધિવત પૂજા-અર્ચના બાદ અભિજીત મુહર્ત પર કર્ક લગ્નમાં બપોરે 12:15 વાગ્યે પરંપરા અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રધ્ધાળુઓના દર્શનાર્થે યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. જે બાદ આગામી

ગ્રીષ્મકાળના 6 માસ સુધી દેશ વિદેશથી આવનારા તીર્થયાત્રી યમુનાના દર્શન યમુનોત્રી ધામથી કરી શકશે. પરંતુ કોરોનાના વધતા કેસ વચ્ચે શ્રધ્ધાળુઓના દર્શન કરવાની અનુમતિ આપવામાં આવી નથી.  કપાટ ખુલ્યા બાદ યમુનોત્રી મંદિર સમિતિ,પંચ પંડા સમિતિ અને યમુનોત્રી ધામના તીર્થીૃ પૂરોહિત સહિત ખરસાલીના ગ્રામીણમાં ખુશીનો માહોલ છે. આપને જણાવી દઇએ કે ગંગોત્રી ધામના કપાટ શનિવાર 15મે,કેદારનાથ ધામના કપાટ 17મે અને બદરીનાથ ધામના કપાટ 18મે શ્રધ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. કોરોનાના વધતા કેસ વચ્ચે આ વર્ષે પણ શ્રધ્ધાળુઓને દર્શન કરવાની અનુમતિ નથી દેવામાં આવી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દેવસ્થાનમ બોર્ડે કપાટ ખોલવાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ. મંદિર પ્રબંધનને કોવિડ ગાઇડલાઇન્સનુ કડકરીતે પાલન કરવાનો યોગ્ય નિર્દેશ આપાવામાં આવ્યો છે. આ મોકા પર યમુનોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ /એસડીએમ ચતર સિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ રાજ સ્વરુપ ઉનિયાલ , સચિવ પંચ પડા સમિતિ લખન ઉનિયાલ, સુધાકર ઉનિયાલ , અંકિત ઉનિયાલ,પ્રવેશ ઉનિયાલ, ભુવનેશ ઉનિયાલ સહિત યમુનોત્રી ધામના તીર્થ પુરોહિત ઉપસ્થિત રહ્યા

આપને જણાવી દઇએ કે પર્યટન મંત્રી સતપાલ મહારાજે દેવસ્થાનમ બોર્ડને નિર્દેશ આપ્યો કે ચારેય ધામના મંદિરમાં ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવે. ઓનલાઇન દર્શન સાથે ભક્ત ઓડિયો સિસ્ટમ દ્વારા પૂજા અર્ચના પણ કરી શકશે. કોરોનાના વધતા કેસ અને દેશ-દુનિયાના તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રદેશ સરકાર તરફથી આ વર્ષે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. એવામાં શ્રધ્ધાળુઓની ભાવનાનું સમ્માન કરતા ભક્તો માટે ઉત્તરાખંડ સરકાર ચારધામના વર્ચ્યુઅલ દર્શન કરાવવાની તૈયારી કરી રહ્યા છે. જેથી લોકો ઘરે બેઠા ચારધામના દર્શન કરી શકશે.

આ વિષયમાં મંત્રી સતપાલ મહારાજે જણાવ્યુ કે તેમણે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતની સાથે પણ ચર્ચા કરી. જેના પપ મુખ્યમંત્રીએ પણ સૂચનને ઉચિત કહ્યુ છે. યમુનોત્રી, ગંગોત્રી,કેદારનાથ અને બદરીનાથના વર્ચ્યુઅલ દર્શનની વ્યવસ્થા કરવાથી ચારેય ધામના દર્શનના ઇચ્છુક દેશ-વિદેશના શ્રધ્ધાળુઓ મંદિરનુ ગર્ભગૃહ સિવા બાકી મંદિર પરિસરના ઓનલાઇન દર્શન અને ઓડિયો માધ્યમથી પૂજા અર્ચના કરી શકે.

આપને જણાવી દઇએ કે 2020માં કોરનાના કારણે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સરકાર ફરી શરુ કરવાની કોશિશ કરી હતી. પરંતુ એપ્રિલ મહિનામાં કોરોનાના વઘતા કેસ વચ્ચે યાત્રા સ્થગિત કરી દેવામાં આવી

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">