રાત્રિના કર્ફ્યુના નિયમમાં કેન્દ્ર સરકારે કર્યો ફેરફાર, જાણો ક્યાં વાહનોને આપી મંજૂરી?
કોરોના વાઈરસના લીધે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જો કે આર્થિક ગતિવિધિઓ શરૂ થાય અને લોકોને રોજગારી મળી રહે તે માટે આંશિક છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે અનલોક-1માં ગાઈડલાઈન જારી કરી હતી. આ ગાઈડલાઈન સાથે દેશભરમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આથી રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી કોઈ […]
કોરોના વાઈરસના લીધે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જો કે આર્થિક ગતિવિધિઓ શરૂ થાય અને લોકોને રોજગારી મળી રહે તે માટે આંશિક છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે અનલોક-1માં ગાઈડલાઈન જારી કરી હતી. આ ગાઈડલાઈન સાથે દેશભરમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આથી રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી કોઈ મુવમેન્ટને મંજૂરી આપવામાં આવી નથી. સરકારે નાઈટ કર્ફ્યુના પોતાના આદેશમાં ફેરફાર કર્યો છે અને હવે તેમાં પણ છૂટછાટ આપી છે.
આ પણ વાંચો : વિશ્વ કોરોના વાઈરસની રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે આ 2 કંપની આપી શકે છે ખુશખબર
સામાન લઈ જઈ રહેલાં ટ્રક રોડ પર ચાલી શકશે દેશભરમાં રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી જે કર્ફ્યુ લાગુ છે તેમાં છૂટ આપવામાં આવી છે. હવે જે ટ્રક સામાન લઈને જઈ રહ્યાં છે તે આ કર્ફ્યુ દરમિયાન પણ ચાલી શકશે. આ ટ્ર્ક સહિતના વાહનો જે સામાન લઈને જઈ રહેલાં છે તેને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય જે લોકો એરપોર્ટ, રેલવેથી પોતાના ઘરે કે નિર્ધારિત સ્થાને જઈ રહ્યાં છે તેમને પણ રોકવામાં આવશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ મામલે સરકારે છૂટ આપી પણ છે અંતિમ નિર્ણય સ્થાનિક સરકારનો રહેશે. સરકારે અધિકારીઓ પાસેથી અંતિમ સૂચન પણ મગાવ્યા છે. લોકોના એકઠાં થવા પર મનાઈ રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ પરવાનગી પછી બસ અને ટ્ર્ક નાઈટ કર્ફ્યુ દરમિયાન પણ નેશનલ હાઈવે પર દોડી શકશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]