લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, દોઢ વર્ષમાં 10 લાખ સરકારી નોકરી અપાશે

આ 10 લાખ ભરતી સરકારી વિભાગો અને મંત્રાલયોમાં કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સરકારી નોકરીઓ (government job) શોધી રહેલા યુવાનોને રાહત મળવાની આશા છે.

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, દોઢ વર્ષમાં 10 લાખ સરકારી નોકરી અપાશે
PM Narendra Modi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:01 AM

સરકારી નોકરીનું (Government job) સપનું જોતા યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોને આગામી દોઠ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી  કરવાની સૂચના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ, તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની (Human Resources) સ્થિતિની સમીક્ષા કરી. જે બાદ તેમણે તમામ વિભાગો અને મંત્રાલયોને સૂચનાઓ આપી છે. વાસ્તવમાં, આ 10 લાખ ભરતી સરકારી વિભાગો અને મંત્રાલયોમાં કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી આ નોકરીઓ શોધી રહેલા યુવાનોને રાહત મળવાની આશા છે.

વડા પ્રધાન મોદીએ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી કરવા માટે “મિશન મોડ” માં કામ કરવા જણાવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે મંગળવારે આ જાણકારી આપી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ કહ્યું કે PM મોદીનો આ નિર્દેશ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કર્યા પછી આવ્યો છે. બેરોજગારીના મુદ્દે વિપક્ષની સતત ટીકા વચ્ચે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મેં તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે અને સરકાર દ્વારા આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મેં તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે અને સરકાર દ્વારા આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’

કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસે પણ સરકારની આ યોજના પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીની આ જાહેરાત પર કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, ‘દેશમાં સૌથી વધુ બેરોજગારી છે અને પીએમ મોદીએ દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું એટલે કે 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ સરકારે આપવાની હતી. પરંતુ હવે મોદીજી કહી રહ્યા છે કે 2024 સુધીમાં માત્ર 10 લાખ નોકરીઓ જ આપવામાં આવશે. તો 16 કરોડ નોકરીઓનું શું થયું?’

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">