આસામમાં 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા, જાણો શું છે કારણ

આસામના નાગાઓન-કરબી એંગલોંગ જિલ્લાની સરહદ પર ગુરુવારે એક ટેકરી પર ઓછામાં ઓછા 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વનવિભાગ દ્વારા થયેલ મોતની પ્રારંભિક તપાસમાં જણાવવા આવ્યું હતું કે જંગલી હાથીઓના મોતનું કારણ કુદરતી વીજળી પડવાનું હાલ લાગે છે.

આસામમાં 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા, જાણો શું છે કારણ
Representative Image
Follow Us:
| Updated on: May 14, 2021 | 4:53 PM

Assam ના નગાંવ -કાબી આંગલોંગ જિલ્લાની સરહદ પર ગુરુવારે એક ટેકરી પર ઓછામાં ઓછા 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વનવિભાગ દ્વારા થયેલ મોતની પ્રારંભિક તપાસમાં જણાવવા આવ્યું હતું કે જંગલી હાથીઓના મોતનું કારણ કુદરતી વીજળી પડવાનું હાલ લાગે છે.

Assam ના મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) અમિત સહાયે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે કુંડોટોલી રેન્જમાં કુંડોલી પ્રસ્તાવિત અનામત જંગલ નજીકના ડુંગરાળ વિસ્તારમાં બની છે. તેમણે કહ્યું કે  18 હાથીઓના મૃતદેહ બે અલગ અલગ સ્થળેથી   મળી આવ્યા છે.

Assam રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારી અમિત સહાયે જણાવ્યું હતું કે, “એક સ્થળે ચાર હાથી અને 14 અન્ય હાથીના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે હાથીઓનું મોત કુદરતી વીજળી પડવાના કારણે થયું છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પશુચિકિત્સકોને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે. ”

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અમિત સહાયે એમ પણ કહ્યું હતું કે નાગાવ જિલ્લાના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને ડીએફઓ (જિલ્લા વન અધિકારી) ને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સહાયે જણાવ્યું હતું કે તેઓ 18 જંગલી હાથીઓના મોતનું કારણ શોધવા માટે તપાસ કરશે.

Assam ના વન પ્રધાન પરિમલ શુક્લાવૈધે  કાઠિયાટોલી રેન્જમાં વીજળી પડવાના કારણે 18 જંગલી હાથીઓના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. મંત્રી શુક્લાવૈધે  કહ્યું કે તેઓ શુક્રવારે સવારે પીસીસીએફ (વન્યપ્રાણી) અને અન્ય અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લેશે, આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાની સૂચનાથી સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">