જાનૈયાઓને લઈને લગ્નમાં જઈ રહેલ કાર ચંબલ નદીમાં ખાબકી, વરરાજા સહીત 9ના મોત

રાજસ્થાનના કોટામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીંયા જાનૈયાઓને લઈને જઈ રહેલી એક કાર ચંબલ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કુલ 9 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે.

જાનૈયાઓને લઈને લગ્નમાં જઈ રહેલ કાર ચંબલ નદીમાં ખાબકી, વરરાજા સહીત 9ના મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 11:41 AM

રાજસ્થાનના કોટા (Kota Rajasthan) જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને લઈને જતી કાર, કોટાના નયાપુરા કલ્વર્ટથી બેકાબૂ થઈને ચંબલ નદીમાં (Chambal River) પડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોચ્યુ છે. મળતી માહિતી મુજબ કારમાં હાજર લોકો જાનૈયાઓ હોવાનું કહેવાય છે. મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે.

ચોથના બરવાડાથી જાન, કોટા આવી હતી. કારના બેકાબૂ થવાના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમાં નશામાં ડ્રાઇવિંગ કરાતુ હોવાનુ પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહનને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કારમાં સવાર કુલ નવ લોકોના મોત થયા હતા

મીડિયા રિપોર્ટ મુજબ આજે વહેલી સવારે 5.30 વાગ્યે સવાઈ માધોપુરથી નીકળીને તેઓ ઉજ્જૈન (મધ્યપ્રદેશ) જાન જઈ રહી હતી. આ દરમિયાન કાર કોટાના નયાપુરા કલ્વર્ટ પરથી ચંબલ નદીમાં ખાબકી હતી. કારમાં બેઠેલા લોકોએ કાચ ખોલવાની કોશિશ કરી, પરંતુ માત્ર એક કાચ જ ખોલી શક્યો હતો. જેના કારણે કારમાં સવાર 7 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બાકીના 2 લોકોના મૃતદેહ દૂર નદીમાં વહી ગયા હોવાનું સામે આવ્યુ છે. સવારે સ્થાનિક લોકોએ કારને જોઈને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ જ બચાવ અને રાહત કાર્ય શરૂ થઈ શક્યું હતું.

પોલીસ તરવૈયાઓની ટીમ પાસેથી અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢ્યા છે, પોલીસ ટીમ હજુ પણ તપાસ કરી રહી છે કે કારમાં અન્ય કોઈ વ્યક્તિ હતી કે કેમ. તમામ મૃતદેહોને એમબીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કાર અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું હતું અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી, તેમણે પ્રશાસનને પણ તમામ મદદ પૂરી પાડવા માટે સૂચના આપી છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને આ ગમખ્વાર અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યુ હતું.

આ પણ વાંચોઃ

Covid Update : એક દિવસમાં 20 હજારથી ઓછા નોંધાયા કેસ, પરંતુ મૃત્યુના આંકડા સાબિત કરે છે હજુ પણ ખતરો

Vadodara: કોર્પોરેશનની સામાન્ય સભામાં પાણીની લાઈનમાં લીકેજનો મુદ્દો ગરમાયો, લીકેજ શોધવા અડધી રાત્રે મેયર કાંસમાં ઉતર્યા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">