કેપ્ટન દિલ્લીમાં કરશે બેટિંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અમરિંદરસિંહ – પંજાબની સ્થિતિ અંગે કરાશે ચર્ચા

Captain Amarinder Singh Delhi Visit: કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીમાં પીએમ મોદીને મળી શકે છે. જાણકારી અનુસાર, તેઓ ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન સાથે વાત કરી શકે છે.

કેપ્ટન દિલ્લીમાં કરશે બેટિંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અમરિંદરસિંહ - પંજાબની સ્થિતિ અંગે કરાશે ચર્ચા
Amarinder Singh and Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 12:40 PM

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh)આજે દિલ્હી જવા રવાના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેપ્ટન દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ કાયદાઓ અને પંજાબની સરહદી સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળવાનું શક્ય છે. આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહે આ મુદ્દાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

પંજાબના મુખ્ય પ્રધાન હતા ત્યારે કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પંજાબની સરહદ પર સુરક્ષા અને સરહદ પારથી વધી રહેલા આતંકવાદી ખતરાઓ પર ધ્યાન આપવાની વાત કરી હતી. આ સાથે, તેમણે તેમના પત્રમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવાની પણ વિનંતી કરી હતી. કેપ્ટને આ મુદ્દાને ઉકેલવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની વાત પણ કરી હતી.

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેપ્ટન અમરિંદર સિંહ અને વડાપ્રધાન વચ્ચે સંભવિત બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે અમરિંદર સિંહ આગામી ચૂંટણીમાં ભાજપને બહારથી ટેકો આપી શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તે જ સમયે, ભાજપ ખેડૂતોના આંદોલનમાં કૃષિ બિલની વિરુદ્ધ ઊભા રહેલા અમરિંદર પાસેથી પણ આશા રાખી રહ્યું છે કે તેઓ તેને સમાપ્ત કરવા અને ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી સમસ્યા દૂર કરવા માટે મધ્યમ માર્ગ શોધશે.

અગાઉ, 29 સપ્ટેમ્બરના રોજ પૂર્વ મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે દિલ્હીની મુલાકાત લીધી અને પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ તેમના રાજકીય ભવિષ્ય વિશે અટકળો તેજ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પીએમ મોદી સાથેની તેમની મુલાકાતના પ્રકરણમાં આ તેમનું બીજું પગલું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનને મળવાની અટકળો વચ્ચે કેપ્ટન દ્વારા રાજીનામા દરમિયાન આપેલ નિવેદન મનમાં આવે છે, જેમાં તેમણે કહ્યું કે તેમની સામે ઘણા વિકલ્પો છે.

જો કે અમરિંદર સિંહે, અમિત શાહને મળ્યા બાદ કહ્યું હતું કે શાહ સાથે તેમની મુલાકાત લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન, તેમણે વિનંતી કરી કે છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો મુદ્દો ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરીને અને લઘુતમ ટેકાના ભાવ (MSP) ની ખાતરી આપીને ઉકેલવામાં આવે. આ બેઠક એ અર્થમાં પણ મહત્વની છે કે કેપ્ટન સિંહે મુખ્યપ્રધાન પદ પરથી ઉતર્યા બાદ પોતાના કાર્ડ ખોલ્યા ન હતા, પરંતુ દાવો કર્યો હતો કે તેમણે રાજકારણ છોડ્યું નથી અને તેઓ અંત સુધી લડશે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટને કહ્યું હતું કે તેમનામાં હજુ ઘણી રાજનીતિ બાકી છે.

પીએમ મોદી સાથે કેપ્ટન અમરિંદર સિંહની મુલાકાતને પંજાબના રાજકારણમાં નવા પરિમાણ તરીકે જોવામાં આવી રહી છે. જ્યાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, રાજકીય કોરિડોરમાં પણ ઘણી ચર્ચા છે કે જો મોદી સરકાર ખેડૂતોના આંદોલનને લગતા મુદ્દાનું નિરાકરણ લાવે તો અમરિંદર સિંહ માટે ભાજપમાં જોડાવા કે ટેકો આપવાનો રસ્તો સરળ બની જશે.

આ પણ વાંચોઃ તાઈવાન બાદ હવે મલેશિયા ઉપર ચીનનો ડોળો, મલેશિયાની દરિયાઈ હદમાં યુદ્ધ જહાજો સાથે ઘૂસ્યુ ચીન

આ પણ વાંચોઃ women cricket : મિતાલી રાજ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન કોણ બનશે? ભૂતપૂર્વ કોચે મજબૂત દાવેદારનું નામ જણાવ્યું

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">