Punjab Election: અમિત શાહ સાથેની મુલાકાત બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું- પંજાબ અંગે સામાન્ય ચર્ચા હતી, ચૂંટણી પર નહીં

પંજાબમાં અમરિંદર સિંહની પાર્ટી ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં શિરોમણી અકાલી દળ (SAD)થી અલગ થયા બાદ ભાજપ આ વખતે સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

Punjab Election: અમિત શાહ સાથેની મુલાકાત બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું- પંજાબ અંગે સામાન્ય ચર્ચા હતી, ચૂંટણી પર નહીં
Amit Shah - Amrinder Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 5:11 PM

કોંગ્રેસ છોડીને ભાજપ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા પંજાબ લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહે (Amarinder Singh) આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં મતગણતરી પહેલા યોજાયેલી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક અંગે સિંહે કહ્યું કે મેં ગૃહ મંત્રાલય સાથે ચૂંટણી પરિણામો પર સામાન્ય ચર્ચા કરી છે. પરિણામ આવ્યા બાદ જ તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ બેઠક પંજાબ પર સામાન્ય ચર્ચા હતી, ચૂંટણી પર નહીં.

પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરને પૂછવામાં આવ્યું કે તેઓ રાજ્યની ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની અપેક્ષા રાખે છે. તો તેણે કહ્યું, હું પંડિત નથી. હું એવી વ્યક્તિ નથી કે જે આગાહી કરી શકે. મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપે સારું પ્રદર્શન કર્યું છે. ચાલો જોઈએ શું થાય છે. નોંધનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો 10 માર્ચે જાહેર થવાના છે. રાજ્યની 117 વિધાનસભા બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સિંહ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી

પંજાબમાં અમરિંદર સિંહની પાર્ટી ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં શિરોમણી અકાલી દળ (SAD)થી અલગ થયા બાદ ભાજપ આ વખતે સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી (2017), કોંગ્રેસ રાજ્યમાં સત્તા મેળવવામાં સફળ સાબિત થઈ હતી. પંજાબમાં કોંગ્રેસના શાસનનો કાર્યકાળ 28 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે.

59 સીટો પર જીત જરૂરી

રાજ્યની 117 બેઠકોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે, કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને ઓછામાં ઓછી 59 બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવો આવશ્યક છે. જે ગઠબંધન કે પાર્ટી 59 સીટોનો આંકડો પાર કરશે તે જ સત્તા મેળવવામાં સફળ સાબિત થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 117માંથી 77 બેઠકો જીતી હતી.

આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પછી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. AAPએ કુલ 20 બેઠકો જીતી હતી. આ સિવાય શિરોમણિ અકાલી દળને 15 અને ભાજપને માત્ર 3 બેઠકો મળી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ જન ઔષધિ કેન્દ્રના માલિકો અને લાભાર્થીઓ સાથે કરી વાતચીત, કહ્યું- 800 થી વધુ દવાઓની કિંમતોમાં કર્યો ઘટાડો

આ પણ વાંચો : કો-લોકેશન કૌંભાડમાં પકડાયેલા NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણને 7 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">