
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી અકસ્માતોના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે, જલગાંવ જિલ્લામાં એક કાર, એસટી બસ અને એક ટુ-વ્હીલર વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વારાંગાંવ નજીક મુંબઈ-નાગપુર હાઇવે બાયપાસ પર એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
મહારાષ્ટ્ર જલગાંવમાં ગુજરાતી પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. ST બસ, કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.આ અકસ્માત અમલનેર-ધુલે રોડ પર થયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર લોકો ગુજરાતથી મહારાષ્ટ્રમાં એક સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. અમલનેર-ધુલે રોડ પર માંગરુલ ગામ નજીક હોટલ વૃંદાવન પાસે કાર, એસટી બસ અને મોટરસાઇકલ વચ્ચે ત્રિપલ અકસ્માત થયો. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો, પોલીસ વહીવટીતંત્ર અને વિસ્તારના એસટી કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં ટુ-વ્હીલર સવાર અને કારમાં સવાર મહિલા અને પુરુષ સહિત કુલ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કાર કચડાઈ જવાથી મૃતદેહો કારની અંદર ફસાઈ ગયા હતા, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
મૃતકોની ઓળખ નંદલાલ મહાજન, અનિતા મહાજન, સુરેશ મહાજન અને નિર્મલા મહાજન તરીકે થઈ છે, જેઓ કારમાં સવાર હતા.
Published On - 12:09 pm, Tue, 9 June 26