બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક લાવેલા અને નાપાસ થયેલા આ ખાસ વાંચે,શું કહી રહ્યા છે એક IAS અધિકારી પોતાના બોર્ડનાં પરિણામ વિશે
રીઝલ્ટ આવી રહ્યા છે, અમુક પાસ થયા અમુક નાપાસ થયા, અમુકનાં માર્ક જેવા ધાર્યા હતા તેવા ના આવ્યા જેમની તેમને આશા હતી. આવા સમયે અમુકમાં નિરાશા જરૂર ઘર કરી ગઈ હશે કે પરંતુ એ યાદ રાખો ન તો એ બોર્ડ નક્કી કરતું હોય છે કે જીંદગીમાં તમે શું બનશો? એ તો બસ તમારી એક વર્ષની […]
રીઝલ્ટ આવી રહ્યા છે, અમુક પાસ થયા અમુક નાપાસ થયા, અમુકનાં માર્ક જેવા ધાર્યા હતા તેવા ના આવ્યા જેમની તેમને આશા હતી. આવા સમયે અમુકમાં નિરાશા જરૂર ઘર કરી ગઈ હશે કે પરંતુ એ યાદ રાખો ન તો એ બોર્ડ નક્કી કરતું હોય છે કે જીંદગીમાં તમે શું બનશો? એ તો બસ તમારી એક વર્ષની મહેનત જ પરિણામ આપે છે. જીંદગી લાંબી છે અને તમે લાંબી રેસનાં ઘોડા છો. એક IAS ઓફિસરે પોતાની 12માં ધોરણની માર્કશીટ શેર કરી, આ માર્કશીટને જોઈને તમને ખબર પડી જશે કે જીંદગી બોર્ડનાં રિઝલ્ટ કરતા અલગ છે.
નીતિન સાગવાન આજે એક IAS ઓફિસર છે. ટ્વીટર પર તેમણે લખ્યું કે 12માં ધોરણની પરીક્ષામાં કેમેસ્ટ્રીમાં તેમને 24 ગુણ મળ્યા હતા કે જે પાસીંગ માર્ક કરતા 1 માર્ક જ વધારે હતા. પરંતુ તેમણે એ નક્કી નોહતું કર્યું કે તે જીવનમાં શું કરવા માગે છે. માર્કનાં ભાર હેઠળ બાળકોને ન દબાવો, જીંદગી બોર્ડનાં પરિણામની તુલનામાં ઘણી મોટી છે. પરિણામોને આત્મનિરિક્ષણ કરીને પણ જોઈ શકાય નહી કે નિંદા કરી ને. જોત જોતામાં તો આ ટ્વીટ વાયરલ થઈ ગયું અને લખાઈ રહ્યું છે ત્યાર સુધીમાં 50 હજાર કરતા વધારે તો તેને લાઈક મળી ગઈ, 13 હજાર કરતા વધારો લોકોએ તેની પર કોમેન્ટ કરી.
IFS અધિકારી પરવીન કાસવાન લખે છે કે અંગ્રેજીનાં વિષયમાં તેમની પણ સ્થિતિ પણ કઈક આવી જ હતી.