દિલ્હીમાં આપ અને ભાજપ વિરૂદ્ધ ફરી પોસ્ટર વોર, પોસ્ટર પર લખ્યું ‘બ્રેક ઇન પ્રિઝન’
દિલ્હીમાં ભાજપે પોસ્ટર વોર શરૂ કર્યું છે. ભાજપ (BJP)દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલની તસવીરો મૂકાઇ છે. પોસ્ટર પર લખ્યું છે કે તમે સરકારના સૌજન્યથી તિહારમાં આરામ, નવજીવન, આનંદ માણી શકો છો.
દિલ્હીની આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકાર પર ભાજપે ફરી આરોપ લગાવ્યા છે. આ વખતે ફરી ભાજપે કેજરીવાલ સરકાર વિરૂદ્ધ પોસ્ટર વોર આરંભ્યું છે. ભાજપે આ વખતે પોસ્ટર યુદ્ધ થકી તિહાર જેલમાં કેદીઓને આપવામાં આવતી સુવિધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલ તથા સત્યેન્દ્ર જૈન પર આકરા આક્ષેપો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
દિલ્હીમાં ભાજપ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલનો ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં યુએસએની વેબ સિરીઝ ‘પ્રિઝન બ્રેક’ના પોસ્ટરની સાથે મૂકાયો છે અને પોસ્ટર પર લખ્યું છે કે ‘બ્રેક ઇન પ્રિઝન’. “સરકારના સૌજન્યથી, તિહારમાં આરામ કરો, કાયાકલ્પ કરો, આનંદ કરો.”
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સત્યેન્દ્ર જૈનની તિહાર જેલના પૂર્વ અધિક્ષક અજીત કુમાર સાથેની મુલાકાતનો વીડિયો પણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે ભાજપ પક્ષ દ્વારા તિહાર જેલ દરબાર નામનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. ભાજપે આ પોસ્ટરમાં સત્યેન્દ્ર જૈનને તિહાર કોર્ટનો સૌથી ભ્રષ્ટ બાદશાહ લેખાવ્યો હતો. આ પહેલા પણ બીજેપીએ ઘણા પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલની સરકાર પર પ્રહારો કર્યા હતા.
તિહાર જેલમાં AAP મંત્રીને VVIP સુવિધાઓ મળી રહી છે, BJPનો આપ પર આક્ષેપ
આ વીડિયોને લઈને ભાજપ આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકાર પર વાર કર્યા છે. ભાજપનું કહેવું છે કે AAP મંત્રીઓને જેલમાં VVIP સુવિધાઓ મળી રહી છે, પરંતુ, દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર કોઈ પગલાં નથી લઈ રહ્યા. તિહારથી આપ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનના અત્યાર સુધી 4 વીડિયો સામે આવ્યા છે. આ પ્રથમ વીડિયોમાં મસાજ, બીજામાં સૂકા પગ, ત્રીજામાં જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાતચીત અને ચોથામાં તેમના રૂમની સફાઈ કરતો પણ જોવા મળી રહ્યો છે.
કેજરીવાલ જૈન-ભાજપ સામે પગલાં નથી લઈ રહ્યા
ભાજપનું કહેવું છે કે રેપના આરોપીને બોડી મસાજ કરાવવામાં આવી રહ્યો છે. તેમને ભોજન માટે ફળો, દૂધ અને ડ્રાય ફ્રૂટ્સ આપવામાં આવી રહ્યા છે. ભૂતપૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર પોતે તેમના રૂમમાં તેમને મળવા આવે છે, પરંતુ અરવિંદ કેજરીવાલ મૂક પ્રેક્ષક બનીને બેઠા છે. સત્યેન્દ્ર જૈનને હજુ મંત્રીપદેથી હટાવ્યા નથી. ભૂતકાળમાં, દિલ્હી બીજેપી મીડિયા સેલના ચીફ હરીશ ખુરાનાએ સીસીટીવી કેમેરા ફૂટેજ શેર કરતી વખતે ટ્વિટ કર્યું હતું કે, “પ્રમાણિક મંત્રી જૈનનો આ નવો વીડિયો જુઓ. રાત્રે આઠ વાગ્યે જેલ મંત્રીની કોર્ટમાં જેલ અધિક્ષકની હાજરી.