રાજસ્થાનની મુલાકાતે BJP અધ્યક્ષ જે.પી. નડ્ડા, 10 હજાર બૂથ અધ્યક્ષ સાથે કરશે સીધો સંવાદ , જિલ્લા કાર્યાલયનું કરશે લોકાર્પણ

રાજસ્થાન (Rajasthan) વિધાનસભા ચૂંટણી 2023 અગાઉ ભાજપના (BJP )રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા (J.P.Nadda) આજથી 2 દિવસ માટે રાજસ્થાનની મુલાકાતે પહોંચી રહ્યા છે. નડ્ડા 10-11 મેના રોજ રાજસ્થાનમાં વિવિધ કાર્યક્રમમાં સહભાગી થશે. જે.પી.નડ્ડા આજે બપોરે શ્રીગંગાનગર જિલ્લાના સૂરતગઢમાં પહોંચશે.

રાજસ્થાનની મુલાકાતે BJP અધ્યક્ષ જે.પી. નડ્ડા, 10 હજાર બૂથ અધ્યક્ષ સાથે કરશે સીધો સંવાદ , જિલ્લા કાર્યાલયનું કરશે લોકાર્પણ
BJP president J.P. Nadda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 1:10 PM

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 (Rajasthan Assembly Election) પહેલા જ બીજેપી ચૂંટણી (Election) મોડમાં આવી ગઈ છે. આ જ સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ માટે રાજસ્થાનની મુલાકાતે છે. અહીં બીજેપી એકમમાં ઘણા લાંબા સમયથી મુખ્યમંત્રીના ચહેરા માટે ચાલી રહેલી ખેંચતાણની પરિસ્થિતિ દરમિયાન નડ્ડા 10 તેમજ 11 મેના રોજ રાજસ્થાનમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થશે. જે.પી. નડ્ડા તેમના કાર્યક્રમ અંતર્ગત શ્રીગંગાનગર જિલ્લાના સૂરતગઢ પહોંચશે જ્યાં તે બિકાનેરના બૂથ કાર્યકર્તામાં સંમેલનમાં પણ સામેલ થશે.

ત્યાર બાદ 11 મેના રોજ જે.પી.નડ્ડા હનુમાનગઢમાં જિલ્લા કાર્યાલય સહિત 10 જિલ્લા બીજેપી કાર્યલયનું વર્ચ્યૂઅલી ઉદ્ધાટન કરશે. નડ્ડાના આ કાર્યક્રમોને લઇને રાજસ્થાનના પ્રદેશ પ્રભારી અરૂણ સિંહે જાણકારી આપી હતી કે સવારે 11 વાગે જે.પી.નડ્ડાના આગમન બાદ તમામ કાર્યક્રમો શરૂ થશે. જે.પી.નડ્ડા રાજસ્થાન મુલાકાત દરમિયાન શ્રીગંગાનગર, બિકાનેર, ધોલપુર, અજમેર, નાગૌર, ચિત્તોડગઢ, ઉદયપુર તેમજ અલવર જિલ્લાના કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. સાથે જ દૌસા, ચૂર, પ્રતાપગઢ અને બારાં જિલ્લાના બીજેપી કાર્યાલયનું ભૂમિપૂજન પણ કરશે.

દિલ્લીથી સૂરતગઢ પહોંચશે જે.પી.નડ્ડા

રાજસ્થાનના બીજેપી પ્રભારી અરૂણ સિંહ અને સતીશ પૂનિયા બે દિવસથી સૂરતગઢમાં નડ્ડાના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. અરૂણ સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા દિલ્લીથી બપોરે 12 વાગ્યે વિમાન માર્ગે સૂરતગઢ પહોચશે. ત્યાર બાદ જૈતસર રોડ ઉપર આવેલા રિસોર્ટમાં બૂથ સ્તરીય સંકલ્પ સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 4 જિલ્લાના 5 હજારથી વધુ કાર્યકર્તા સામેલ થશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રથમ વાર શ્રીગંગાનગર જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે તેમનું ફોકસ સંગઠનાત્મક મજબૂતી પર રહેશે. સાથે જ બૂથ કાર્યકર્તા અને બૂથ અધ્યક્ષ સાથે સંવાદ સાધીને આગામી વર્ષે આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ સૂચન કરશે. તો જયપુરમાં 20 મે તથા 21 મેના રોજ આયોજિત બીજેપીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક પહેલા જે.પી.નડ્ડાની આ મુલાકાતને રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થશે આયોજિત

નોંધનીય છે કે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી આયોજિત થશે. એવામાં બીજેપી આલાકમાન ઇચ્છે છે કે બીજેપીમાં અંદરોઅંદરના જૂથવાદનો અંત આવે અને અશોક ગેહલોતને સત્તાથી દૂર કરવાની રણનીતિ પર કામ કરવામાં આવે. પ્રદેશ પ્રભારી અરૂણ સિંહના જણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી રાજસ્થાનમાં બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેથી રાજસ્થાનના ગામડાઓ સુધી પહોંચીને બીજેપી કાર્યકર્તા ગેહલોત સરકાર વિરૂદ્ધ અભિયાનની શરૂઆત કરશે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">