દિગ્વિજય સિંહના નિવેદનથી BJP નેતા ભડક્યા, કોંગ્રેસ વિશે કહી આ મોટી વાત

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ પુલવામાં અને સર્જીકલ સ્ટ્રાઈકને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ BJP તે સવાલોથી ભડકી ઉઠી છે.

દિગ્વિજય સિંહના નિવેદનથી BJP નેતા ભડક્યા, કોંગ્રેસ વિશે કહી આ મોટી વાત
Gaurav Bhatia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 6:09 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર ભારતને તોડવાનો આરોપ લગાવતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિગ્વિજય સિંહનું નિવેદન વાંધાજનક છે. તેમજ ભાટિયાએ કહ્યું કે, કોંગ્રેસનું કામ ભારતને જોડવાનું નથી પરંતુ ભારતને તોડવાનું છે. હેડલાઇન્સમાં રહેવું અને બેજવાબદાર નિવેદનો કરવા એ કોંગ્રેસનું ચારિત્ર છે.

દિગ્વિજય સિંહના  સવાલો પર BJP નેતા ભડક્યા

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ પુલવામાં અને સર્જીકલ સ્ટ્રાઈકને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ BJP તે સવાલોથી ભડકી ઉઠી છે અને તે અંગે બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ભારત સેના વિરુદ્ધ નિવેદનો સહન કરવામાં આવશે નહીં, સેના પાસેથી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા શોધી રહ્યા છો તો સેના જ્યારે આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને મારે છે તો એક તરફ પાડોશીને દુ:ખ થાય છે તો બીજી તરફ કોંગ્રેસને પણ.

ભાટિયાએ કહ્યું, સામ પિત્રોડાએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી અને કહ્યું કે પુલવામા હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ન ઠેરવવું જોઈએ. સિદ્ધુએ બાલાકોટ પર કહ્યું હતું કે ઝાડ પર કેટલાક કાગડા બેઠા હતા જે ઉડી ગયા હતા. તેમણે આરટીઓ બનાવ્યું – જેમાં સેનાને પૂછવામાં આવ્યું કે કેટલી સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે, જેનો ડીજીએમઓએ જવાબ આપ્યો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોંગ્રેસ સરકારની સર્જિકલ સ્ટ્રાઈક પર કહી આ વાત

ગૌરવ ભાટિયાએ કહ્યું કે પહેલી સર્જિકલ સ્ટ્રાઈક 29 સપ્ટેમ્બર 2016ના રોજ થઈ હતી, આ વાત સેનાએ કહી હતી. બીજી તરફ કોંગ્રેસની સરકારો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે 3 સર્જિકલ સ્ટ્રાઈક થઈ. રાજીવ શુક્લાએ કહ્યું 6, અશોક ગેહલોતે કહ્યું 15, સીતારમૈયાએ કહ્યું 10 થી 12 થઈ. પરંતુ જ્યારે સેનાએ આરટીઆઈમાં ના પાડી દીધી, ત્યારે તેઓએ કહેવાનું શરૂ કર્યું કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને શું થયું.

શું છે સમગ્ર મામલો?

સર્જિકલ સ્ટ્રાઈક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું છે કે તેઓ (કેન્દ્ર) સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાત કરે છે કે અમે ઘણા લોકો માર્યા છે પરંતુ કોઈ પુરાવા નથી. સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પુલવામા પર સંસદમાં કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેઓ માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે. હજુ સુધી પુલવામા અંગે કોઈ અહેવાલ નથી. પુલવામામાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા. આજદિન સુધી તે વાહનની તપાસ કરવામાં આવી નથી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">