ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું પશ્ચિમ બંગાળમાં અરાજકતાની સ્થિતિ, 700 ગામોમાં હિંસા અને હત્યાઓ

West Bengal વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની ભવ્ય જીત બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપનો દાવો છે કે ટીએમસીના ગુંડાઓ ભાજપના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે. બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે  કહ્યું કે ટીએમસીની જીત બાદ 700 ગામોમાં હિંસા થઈ છે.

ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું પશ્ચિમ બંગાળમાં અરાજકતાની સ્થિતિ, 700 ગામોમાં હિંસા અને હત્યાઓ
ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું પશ્ચિમ બંગાળમાં અરાજકતાની સ્થિતિ
Follow Us:
| Updated on: May 03, 2021 | 11:01 PM

West Bengal વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની ભવ્ય જીત બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપનો દાવો છે કે ટીએમસીના ગુંડાઓ ભાજપના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે. બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે  કહ્યું કે ટીએમસીની જીત બાદ 700 ગામોમાં હિંસા થઈ છે. મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેમના કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. કૈલાસ વિજયવર્ગીયે આરોપ લગાવ્યો કે બીરભૂમમાં અમારી બે મહિલા કાર્યકરોને ઝડપી લેવામાં આવી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો. 700 ગામમાં કોઈ ખાસ વર્ગના લોકો લૂંટ ચલાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં અરાજકતા છે. તે જ સમયે, કૈલાસ વિજયવર્ગીયે માહિતી આપી હતી કે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળની મુલાકાત લેશે.

West Bengal  ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે  કહ્યું કે અમે ભાજપનો કંટ્રોલરૂમ બનાવ્યો છે અને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં પણ હુમલો થઈ રહ્યો છે ત્યાં તે લોકો કોલકત્તા આવે. અમે તેમના રહેવા માટે જગ્યા બનાવી રહ્યા છીએ. મેં આટલી અરાજકતા કદી જોઇ નથી. જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન કરવામાં આવ્યું હતું, ત્યારે આવી સ્થિતિ આવી હતી જે આજે રાજ્યમાં છે. ફક્ત એક ખાસ લોકો આ બધુ કામ કરી રહ્યા છે. પોલીસ ફોન ઉપાડતી નથી.

કૈલાસ વિજયવર્ગીયે  જણાવ્યું હતું કે, West Bengal માં ભાજપના કાર્યકરોને  માર મારવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોનાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે અને ઓફિસો ઉપર હુમલો થઈ રહ્યો છે. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં કૈલાસ વિજયવર્ગીયે વધુમાં કહ્યું કે અમે આ અંગે ગૃહ મંત્રાલય અને ગૃહ પ્રધાનને જાણ કરી છે. ચૂંટણી પરિણામ બાદ હિંસાની કેટલી ઘટનાઓ બની છે તેની માહિતી આપવા મંત્રાલયે રાજ્ય સરકારના ગૃહ સચિવની પાસે જવાબ માંગ્યો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે

ભાજપના નેતાએ કહ્યું કે મમતા બેનર્જી નિર્લજ્જતાપૂર્વક કહી રહ્યા છે કે તેમના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે, પરંતુ આજની પરિસ્થિતિમાં કોણ વિચારી શકે છે કે ટીએમસીના કાર્યકરો પર હુમલો થઇ રહ્યો છે. સત્ય એ છે કે ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે. ઘણા કાર્યકરો ઘર છોડી ગયા છે. ખૂબ જ જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે કહ્યું કે શક્ય છે કે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બંગાળની મુલાકાત લઈ શકે. મેં મારા જીવનમાં આ પ્રકારનો રાજકીય હુલ્લડો ક્યારેય જોયા નથી, માત્ર પાકિસ્તાનના ભાગલા વિશે સાંભળ્યું છે. વહીવટીતંત્ર આંખ મીંચીને બેઠું છે.

મમતાના કહેવાથી હિંસાની ઘટનાઓ

કૈલાસ વિજયવર્ગીયે  મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે આ બધું  સો ટકા મમતા બેનર્જીના કહેવાથી થઈ રહ્યું છે. એક આઈપીએસ અધિકારીએ મને કહ્યું છે કે અમને કહેવામાં આવ્યું છે કે ફોન ઉપાડશો નહીં જે થાય તે  થવા દો. આ બધી ઘટનાઓ મમતા અને તેના નેતાઓના કહેવાથી થઈ રહી છે. કાર  પર  હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, “આવતીકાલે અમે મેદાનમાં ઉતરીશું અને આ પ્રકારની હિંસા થવા નહીં દઈશું.” ગૃહ પ્રધાન અમિત શાહ  સાથે પણ મારી ઘણી વાતચીત થઈ છે. ‘

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">