બિહારમાં વીજળી પડવાથી 18 લોકોનાં મોત, બિહારનાં ચાર જિલ્લામાં વીજળી પડવાથી મોતનો સિલસિલો યથાવત
બિહારમાં વીજળી પડવાથી મોતની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. આજે બિહારમાં વીજળી પડવાથી 18 લોકોનાં મોત નિપજ્યા. રાજ્યનાં ચાર જિલ્લામાં આ આફત આવી કે જેમાં ભોજપુરમાં 4, સારણમાં 4, પટણામાં એક અને બક્સરમાં 1નું મોત નોંધાયું. આ પહેલા બિહારમાં ગુરૂવારે 8 જિલ્લામાં વીજળી પડવાનાં કારણે 26 લોકોના મોત થયા હતા. મરનારાઓનાં પરીવાર માટે નીતિશ […]
બિહારમાં વીજળી પડવાથી મોતની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. આજે બિહારમાં વીજળી પડવાથી 18 લોકોનાં મોત નિપજ્યા. રાજ્યનાં ચાર જિલ્લામાં આ આફત આવી કે જેમાં ભોજપુરમાં 4, સારણમાં 4, પટણામાં એક અને બક્સરમાં 1નું મોત નોંધાયું. આ પહેલા બિહારમાં ગુરૂવારે 8 જિલ્લામાં વીજળી પડવાનાં કારણે 26 લોકોના મોત થયા હતા. મરનારાઓનાં પરીવાર માટે નીતિશ સરકારે ચાર લાખ રૂપિયાની રાહત પહોચાડી, મંગળવારે વીજળી પડવાથી 11 લોકોનાં મોત થયા હતા. તો 25 જૂનનાં રોજ વીજળી પડવાથી અને આંધી-તોફાનનાં કારણે 83 લોકોનાં મોત થઈ ગયા હતા તો ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાનાં કારણે 24 લોકોનાં મોત થઈ ગયા હતા.