પેગાસસ મુદ્દે વિપક્ષને નીતિશ કુમારનુ સમર્થન, કહ્યુ તપાસ થવા સાથે સંસદમાં ચર્ચા થવી જોઈએ

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યું કે પેગાસસ જાસૂસી કેસ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ, આ કેસની યોગ્ય તપાસ પણ થવી જોઈએ જેથી સત્ય લોકોની સામે આવે.

પેગાસસ મુદ્દે વિપક્ષને નીતિશ કુમારનુ સમર્થન, કહ્યુ તપાસ થવા સાથે સંસદમાં ચર્ચા થવી જોઈએ
Bihar Chief Minister Nitish Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:42 PM

હવે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું પણ સમર્થન મળ્યું છે. બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે પેગાસસ કેસની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ટેલિફોન ટેપીંગના વિશે સાંભળી રહ્યા છીએ. આ કિસ્સામાં યોગ્ય તપાસ થવી જોઈએ. સોમવારે જનતા દરબાર સમાપ્ત થયા બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

જ્યારે  જાતિગત વસ્તી ગણતરી બાબતે પૂછ્યું કે શું બિહારમાં રાજ્ય સરકાર તેના સ્તરથી જાતિગત વસ્તી ગણતરી કરશે, તેના જવાબમાં બિહારના મુખ્યપ્રધાન  નીતીશ કુમારે કહ્યું કે આ વિકલ્પ હંમેશા ખુલ્લો રહેશે. તેમણે કહ્યું કે અમે આજે જાતિની વસ્તી ગણતરી માટે ફરી વિનંતી કરીશું. કરવું કે ન કરવું તે કેન્દ્ર સરકારને આધિન છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જાતિગત વસ્તી ગણતરીથી સમાજમાં તણાવ ફેલાશે, તે એકદમ ખોટું છે. દરેક વ્યક્તિ આનાથી ખુશ થશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પેગાસસ જાસૂસી કેસ અંગે પૂછવામાં આવેલા સવાલ પર બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું કે આવા કેસ સતત સામે આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તેની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું છે કે સમગ્ર મામલાની કાળજીપૂર્વક તપાસ કરી શકાય છે. નીતિશકુમારે વધુમાં કહ્યું છે કે તપાસ બાદ જ યોગ્ય પગલું ભરવું જોઈએ. શું થયું છે, શું નથી થયું, કેટલાક લોકો સંસદમાં આ મુદ્દો ઉઠાવવા બોલી રહ્યા છે.

મીડિયામાં પણ આ અંગે સતત ચર્ચાઈ રહ્યુ છે. લોકો જે રીતે સાંભળી રહ્યા છે, તેમની શંકાનુ નિરાકરણ થવુ જોઈએ. યોગ્ય તપાસ થવી જોઈએ. નીતીશ કુમારે કહ્યું કે પેગાસસ જાસૂસી કેસ મુદ્દે સંસદમાં પણ ચર્ચા થવી જોઈએ, તપાસ પણ થવી જોઈએ. તેમણે એમ કહ્યું કે જ્યારે લોકો આટલા દિવસો સુધી સંસદમાં આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેની તપાસ થવી જોઈએ જેથી સત્ય બહાર આવે. લોકોની સામે સાચી વાત આવે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">