BIHAR : લાંબા સમય બાદ નીતીશ સરકારના મંત્રીમંડળનું થશે વિસ્તરણ, રાજભવનમાં તૈયારીઓ પૂર્ણ

BIHAR : ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને બહુમતી મળ્યા બાદ 16 ડિસેમ્બર 2020ના રોજ 14 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા, ક્યારે નીતીશકુમારે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા.

BIHAR : લાંબા સમય બાદ નીતીશ સરકારના મંત્રીમંડળનું થશે વિસ્તરણ, રાજભવનમાં તૈયારીઓ પૂર્ણ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 08, 2021 | 8:13 PM

BIHAR માં મંગળવારે લાંબા સમય બાદ નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. પટનાના રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે મંત્રીમંડળ વિસ્તરણ સમારોહ યોજાશે. અગાઉ કેબિનેટ વિસ્તરણનો દિવસ ગયા મહિને નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યો હતો. ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને બહુમતી મળ્યા બાદ 16 ડિસેમ્બર 2020ના રોજ 14 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા, ક્યારે નીતીશકુમારે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. 9 ફેબ્રુઆરીએ શપથ લેનારા નવા પ્રધાનોના નામ હજી જાહેર કરવામાં આવ્યાં નથી.

બિહારમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી છે કે BJP અને JDU વચ્ચે વિભાગોની વહેચણી અંગે કોઈ સહમતિ સધાઈ નથી. બંને પાર્ટીઓ પણ આ બાબતને નકારી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં મુખ્યપ્રધાન નીતીશ કુમારે ઘણીવાર કહ્યું હતું કે કેબિનેટના વિસ્તરણ અંગે તેમના તરફથી કોઈ વિલંબ નથી થઇ રહ્યો પરંતુ નિર્ણય તો ભાજપે જ લેવાનો રહેશે.

બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના ટોચના  નેતાઓ વચ્ચે કેબિનેટ વિસ્તરણને લઈને ઘણી બેઠકો થઈ છે. જો કે બંને પક્ષો વચ્ચે કયા ફોર્મ્યુલા પર સહમતી સધાઈ છે તે અંગે સ્થિતિ હજી અસ્પષ્ટ છે. બિહારની એનડીએ સરકારમાં ભાજપ, જેડીયુ, પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીનો હિન્દુસ્તાની અવમ મોરચો (HAM)અને મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) એમ કુલ ચાર પક્ષો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નીતિશ કુમારના પ્રધાનમંડળમાં હાલમાં ભાજપના બે ઉપમુખ્યપ્રધાનો સહીત સાત પ્રધાનો છે. જયારે જેડીયુમાંથી મુખ્યપ્રધાન ઉપરાંત ફક્ત ચાર જ પ્રધાનો છે. જીતનરામ માંઝીની પાર્ટીમાંથી તેમના પુત્ર અને વિકાસ ઇન્સાન પાર્ટીના સહાનીને પણ કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">