ITBP Bus Accident : પહેલગામમાં મોટી બસ દુર્ઘટના, ITBPના 6 જવાન શહીદ 32 ઘાયલ
પહેલગામના ફ્રિસલાન ગામમાં ITBP બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા છે અને 32 ઘાયલ હોવાનું કહેવાય છે.
ITBP Bus Accident : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ITBPનું વાહનન અકસ્માત (Bus Accident)નો શિકાર બન્યું છે. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા છે અને 32 ઘાયલ થયા છે. તે અમરનાથ યાત્રાની ડ્યુટી પર હતા. આ અકસ્માત ચંદનવારી પહલગામમાં થયો હતો. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે (Indo Tibetan Border Police)માહિતી આપી છે કે, બસમાં કુલ 39 જવાન હતા, જેમાંથી 37 આઈટીબીપીના અને 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. બસની બ્રેક ફેલ થયા બાદ તે રોડ કિનારે પડી હતી. આ અક્સમાત સર્જાયો છે,સૈનિકો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા.
A civil bus carrying 39 personnel (37 from ITBP and 2 from J&K Police) fell down to a roadside river bed after its breaks reportedly failed. The troops were on their way from Chandanwari to Pahalgam. Casualties feared. More details awaited: Indo-Tibetan Border Police (ITBP) https://t.co/gpvCAN2aX3
— ANI (@ANI) August 16, 2022
એક અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનાના સમાચાર મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ITBP અને પોલીસ કર્મચારીઓને લઈ જતી બસના અકસ્માત વિશે જાણીને દુઃખ થયું. મારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.
Anguished to learn about the accident of a bus carrying ITBP and police personnel in Pahalgam, J&K. My prayers and thoughts are with the bereaved families. The injured were rushed to the hospital. May they recover at the earliest.
— Amit Shah (@AmitShah) August 16, 2022