લોકસભા ચૂંટણી 2019માં ફરી એક વાર થશે બાહુબલી 2 એટલે મોદીની PM તરીકે વાપસી, મોદીની કુંડળી મુજબ 25 ફેબ્રુઆરી બાદ ફરી શરુ થશે ‘મોદી લહેર’

લોકસભા ચૂંટણી 2019 પહેલા વધુ એક ભવિષ્યવાણી થઈ છે કે જેના મુજબ નરેન્દ્ર મોદી જ ફરીથી દેશના વડાપ્રધાન બનશે. બૃજના જ્યોતિષાચાર્ય અને વૈદિક સૂત્રના પ્રમુખ ભવિષ્યવક્તા પંડિત પ્રમોદ ગૌતમે આ ભવિષ્યવાણી કરી છે. વર્ષ 2019માં મોદીની જન્મ કુંડળીનું જ્યોતિષીય વિશ્લેષણ કરતાં ગૌતમે કહ્યું કે હાલમાં મોદી પર રાજયોગકારી ચંદ્ર+મંગળની યુતિ ધરાવતી ચંદ્ર ગ્રહની મહારાજયોગકારી મહાદશા […]

લોકસભા ચૂંટણી 2019માં ફરી એક વાર થશે બાહુબલી 2 એટલે મોદીની PM તરીકે વાપસી, મોદીની કુંડળી મુજબ 25 ફેબ્રુઆરી બાદ ફરી શરુ થશે ‘મોદી લહેર’
Follow Us:
| Updated on: Jan 21, 2019 | 9:57 AM

લોકસભા ચૂંટણી 2019 પહેલા વધુ એક ભવિષ્યવાણી થઈ છે કે જેના મુજબ નરેન્દ્ર મોદી જ ફરીથી દેશના વડાપ્રધાન બનશે.

બૃજના જ્યોતિષાચાર્ય અને વૈદિક સૂત્રના પ્રમુખ ભવિષ્યવક્તા પંડિત પ્રમોદ ગૌતમે આ ભવિષ્યવાણી કરી છે. વર્ષ 2019માં મોદીની જન્મ કુંડળીનું જ્યોતિષીય વિશ્લેષણ કરતાં ગૌતમે કહ્યું કે હાલમાં મોદી પર રાજયોગકારી ચંદ્ર+મંગળની યુતિ ધરાવતી ચંદ્ર ગ્રહની મહારાજયોગકારી મહાદશા અવધિ ચાલી રહી છે અને આ મહારાજયોગકારી મહાદશા નવેમ્બર-2011માં ચાલુ થઈ હતી કે જેના કારણે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યાં અને આ મહાદશા નવેમ્બર-2021 સુધી ચાલશે કે જેના પગલે તેઓ 2019માં પણ વડાપ્રધાન બનશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

પંડિત પ્રમોદ ગૌતમના જણાવ્યા મુજબ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદીની કુંડળીમાં ચંદ્ર+મંગળ ગ્રહની એક સાથે યુતિનો નીચ ભંગ રાજયોગ બનેલો છે. આ રાજયોગમાં મોટાભાગની પરિસ્થિતિઓ શરુઆતમાં વિરોધી દેખાય છે, પણ પાછળથી તે જ પરિસ્થિતિઓ અનુકૂળ થવા લાગે છે એટલે કે વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી હકારાત્મક લાયકાતના કારણે બહું ઊંચું પદ પ્રાપ્ત કરે છે અને આનો દૃષ્ટાંત મોદી પોતે છે.

આ પણ વાંચો : MPમાં 30 વર્ષોથી આ SEAT જીતવા માટે તલસી રહેલી કૉંગ્રેસ ઝાલવા જઈ રહી છે કરીના કપૂરનો હાથ, ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કરીના ?

હાલમાં ચંદ્રની મહાદશામાં બુધ ગ્રહની અંતદરશા અવધિ ચાલી રહી છે. આ અંતરદશા સપ્ટેમ્બર-2017થી શરુ થઈ કે જે 25 ફેબ્રુઆરી, 2019 સુધી રહેશે. આ સમયગાળો મોદી માટે મુશ્કેલ છે. 25 ફેબ્રુઆરી બાદ મોદીનો સુવર્ણ કાળ ફરીથી શરુ થશે.

પંડિત પ્રમોદ ગૌતમે કહ્યું કે વર્તમાનમાં ગોચરીય ગ્રહ ચાલમાં નરેન્દ્ર મોદીની રાશિ વૃશ્ચિક પર દેવગુરુ બૃહસ્પતિ ગ્રહનો આશીર્વાદ 11 ઑક્ટોબર, 2018થી લઈ 4 નવેમ્બર, 2019 સુધી રહેશે કે જે વર્ષ 2019માં મોદીને પોતાની ભૂલો સુધારવા માટે આત્મચિંતન કરવાની તક પ્રદાન કરી રહ્યો છે.

આ પણ વાંચો : રેલવેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો માટે બંપર વૅકેંસી, માસિક પગાર 19,900થી 69,100 રૂપિયા, જલ્દી કરો છેલ્લી તારીખ એકદમ નજીક છે

11 સપ્ટેમ્બર, 2017થી લઈ 11 ઑક્ટોબર, 2018 સુધી દેવગુરુ બૃહસ્પતિ ગ્રહ મોદીની વૃશ્ચિક રાશિની ચંદ્ર કુંડળીથી અશુભ ભાવમાં વિરાજમાન હતાં. તેથી 2018માં આખા વર્ષ દરમિયાન મોદીને વિરોધોનો સામનો કરવો પડ્યો, પણ હવે વર્તમાન એટલે કે 2019માં મોદીજી પર ગોચરીય ગ્રહ ચાલમાં દેવગુરુ બૃહસ્પતિ ગ્રહનો આશીર્વાદ છે કે જે તેમને સદ્બુદ્ધિ પ્રદાન કરશે.

ફેબ્રુઆરીથી બદલાશે મોદીના ગ્રહો

વૈદિક સૂત્રમના પ્રમુખ પંડિત પ્રમોદ ગૌતમે જણાવ્યું કે 25 ફેબ્રુઆરી, 2019થી મોદીનો સુવર્ણ કાળ ફરીથી શરુ થશે. 25 ફેબ્રુઆરીથી 25 સપ્ટેમ્બર સુધી મોદી પર વર્તમાનમાં ચંદ્રની મહાદશામાં કેતુ ગ્રહની અંતરદશા અવધિ શરુ થઈ જશે. કેતુને ફલિત જ્યોતિષમાં ધ્વજાનો કારક ગ્રહ કહેવામાં આવે છે અને મોદીની જન્મ કુંડળીમાં કેતુ લાભના ભાવમાં એટલે કે ઇચ્છાપૂર્તિના સ્થાનમાં વિરાજમાન છે.

નરેન્દ્ર મોદીની જન્મ કુંડળીમાં 25 ફેબ્રુઆરી, 2019થી ભાગ્યેશ ચંદ્રની મહાદશામાં તેમની કુંડળીમાં લાભ ભાવમાં સ્થિત કેતુ ગ્રહની સૂક્ષ્મ અંતરદશા અવધિ શરુ થશે કે જે 25 સપેટમ્બર, 2019 સુધી ચાલશે. આ અંતરદશા દૈવીય શક્તિના ચમત્કારથી 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી માટે વરદાન સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન મહારાજયોગકારી મહાદશાના ફળસ્વરૂપે જ ભાજપનું વર્ચસ્વ જળવાઈ રહેશે. વિપક્ષો મહાગઠબંધન કરશે, છળ-પ્રપંચ કરશે, પરંતુ મદોીની જન્મ કુંડળીમાં સ્થિત મહારાજયોગકારી મહાદશા તેમની મદદ કરશે અને ઈશ્વરીય દૈવીય શક્તિઓના આશીર્વાદ પણ તેમને ફરીથી વડાપ્રધાન બનાવશે. આમ, વિપક્ષી એકજુટતા છતાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ સફળતાનો ઝંડો ફરકાવશે.

[yop_poll id=715]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">