Batla House Encounter: આરીઝ ખાનની ધરપકડ અને સમગ્ર કેસનો જુઓ ઘટનાક્રમ
Batla House Encounter: દિલ્હીની સાકેત કોર્ટે અદાલતે સોમવારે ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી આરીઝ ખાનને 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યા બદલ દોષી ઠેરવ્યા છે.
Batla House Encounter:
દિલ્હીની સાકેત કોર્ટે અદાલતે સોમવારે ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી આરીઝ ખાનને 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યા બદલ દોષી ઠેરવ્યા છે. ખાનની સજા 15 માર્ચ માટે નક્કી કરાઇ હતી. આરીઝ ખાનની 2018માં ભારત અને નેપાળ વચ્ચે બનાસબા સરહદ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના આઝમગઢનો વતની આરીઝ ખાન, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ છે, જેમાં કુલ 165 લોકો માર્યા ગયા અને 500 લોકો ઘાયલ થયા.
નીચે આપેલી ઘટનાઓની શ્રેણી છે કે જેમણે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આરીઝ ખાનને દોષી ઠેરવ્યા છે.
13 સપ્ટેમ્બર, 2008: દિલ્હીના જામિયા નગરમાં એલ -18 બાટલા હાઉસ ખાતે એક એન્કાઉન્ટર થયું, દિલ્હી પોલીસના વિશેષ સેલ અને શંકાસ્પદ ટીમની દરોડા પાડનાર ટીમ સહિત 26 લોકો માર્યા ગયા. જેમાં દિલ્હી પોલીસ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા એન્કાઉન્ટરમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બાદ આંતકી આરિઝ ખાન, શહઝાદ અને જુનૈદ નાસી છુટયા હતા. પોલીસ ગોળીબારમાં બે શંકાસ્પદ આતંકીઓ આતિફ અમીન અને મોહમ્મદ સાજીદ માર્યા ગયા હતા. અને, એક શંકાસ્પદ આઇએમ ઓપરેટિવ મોહમ્મદ સૈફ શરણાગતિ સ્વીકારી છે.
1 જાન્યુઆરી, 2010 : શાહજાદ ઉત્તર પ્રદેશના આઝમગઢથી ધરપકડ કરાયો.
એપ્રિલ 2010 : આ કેસની ચાર્જશીટ દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ એન્કાઉન્ટર 13 સપ્ટેમ્બર, 2008 ના રોજ કેરોલ બાગ, કનોટ પ્લેસ, ગ્રેટર કૈલાસ અને ઇન્ડિયા ગેટ પર થયેલા સિરિયલ વિસ્ફોટોની તપાસનો એક ભાગ હતો. જુનૈદને દોષિત ગુનેગાર જાહેર કરાયો હતો.
15 ફેબ્રુઆરી, 2011: કોર્ટે શહેઝાદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ હત્યા, ખૂનનો પ્રયાસ, ષડયંત્ર અને અન્ય વિવિધ કલમો હેઠળ આરોપો મુક્યા હતા.
20 જુલાઈ, 2013: કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો.
25 જુલાઈ, 2013: અદાલતે ઇંસ્પેક્ટર શર્માની હત્યા કરવા અને અન્ય પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા બદલ શહજાદને દોષી ઠેરવ્યા.
30 જુલાઈ, 2013: કોર્ટે શહજાદને આજીવન કેદની સજા સંભળાવી.
13 ફેબ્રુઆરી, 2018: આરીઝ ખાનની ભારત અને નેપાળ વચ્ચેના બનાબાસા બોર્ડર પોઇન્ટ પરથી ધરપકડ કરી. વર્ષ 2008 માં ફરાર થયા બાદ આરીઝ ખાન નેપાળ ભાગી ગયો હતો.
8 માર્ચ, 2021: એરિઝ ખાનને દોષી ઠેરવવામાં આવ્યો. તેની સજા 15 માર્ચે સંભળાવવામાં આવી છે.
15 માર્ચ, 2021:
આખરે સાકેત કોર્ટે આંતકી આરીઝ ખાને ફાંસીની સજા સંભળાવી છે.