Bandipora Encounter: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા એન્કાઉન્ટરમાં સેનાને મળી મોટી સફળતા, એક આતંકવાદીને ઠાર કર્યો

Bandipora Encounter: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના સાલિંદર જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

Bandipora Encounter: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા એન્કાઉન્ટરમાં સેનાને મળી મોટી સફળતા, એક આતંકવાદીને ઠાર કર્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 6:37 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ના બાંદીપોરા (Bandipora encounter) એન્કાઉન્ટરમાં સ્થિત સાલિન્દર જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ માહિતી કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપી હતી. તેમણે કહ્યું કે, બાંદીપોરાના સાલિંદર જંગલ (Salinder forest area) વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેની પાસેથી એક એકે રાઈફલ, ત્રણ મેગેઝીન મળી આવ્યા છે. અન્ય 2 આતંકીઓની શોધ ચાલી રહી છે.આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ ભાગોમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષા દળો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ-અલગ સ્થળોએ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકવાદીઓનો ઢગલો કરવામાં આવી રહ્યો છે.

અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ

ઉલ્લેખનીય છે કે, 8 મેના રોજ બાંદીપોરામાંથી હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. બે આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની આતંકવાદી હૈદર તરીકે થઈ હતી. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તે બાંદીપોરામાં બે આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા, જેમાં એકમાં છ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં એક કોન્સ્ટેબલ, એક સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ, એક SPO અને ત્રણ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. તેણે કહ્યું કે બીજો આતંકવાદી શાહબાઝ શાહ છે, જે અહીંનો છે. તે નાગરિકોની હત્યામાં સામેલ હતો.

બીજી તરફ અનંતનાગના બિજબેહરા વિસ્તારના મારમામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જોકે, અહીંથી કોઈ આતંકવાદી માર્યા ગયાના કે પકડાયાના સમાચાર નથી.

મંગળવારે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ અને એક નાગરિક માર્યા ગયા

જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા જ્યારે એક સૈનિક સહિત બે અન્ય ઘાયલ થયા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, શોપિયનના પંડોશન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે સુરક્ષા જવાનો વિસ્તારની ઘેરાબંધી કરી રહ્યા હતા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષા દળોએ વિસ્તારમાં હાજર નાગરિકોને બચાવવા અને બહાર કાઢવા માટે મહત્તમ સંયમનો ઉપયોગ કર્યો.

“જો કે, નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા દરમિયાન, છુપાયેલા આતંકવાદીઓએ બચવા માટે નાગરિકો તેમજ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા,” તેમણે કહ્યું. નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારને કારણે સૈનિક લાન્સ નાઈક સંજીબ દાસ અને બે નાગરિકો – શાહિદ ગની ડાર અને સુહૈબ અહેમદ – ગોળીથી ઘાયલ થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">