બાબરી મસ્જિદ-અયોધ્યા રામ મંદિર કેસના 10 તથ્યો, જે અંતિમ નિર્ણય પહેલા જાણવા જરૂરી છે!
1. 16 મી સદીની બાબરી મસ્જિદ પર 6 ડિસેમ્બર, 1992 ના રોજ હજારો સ્વયંસેવકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે ભગવાન રામના જન્મસ્થળને ચિહ્નિત કરેલા મંદિરને તોડીને તે બનાવવામાં આવ્યું હતું. 2. એપ્રિલ 2002 માં અલ્હાબાદ હાઈકોર્ટની 3 ન્યાયાધીશ લખનઉ બેંચે સુનાવણી શરૂ કરી કે તે સ્થળની માલિકી કોની છે. 3. […]
1. 16 મી સદીની બાબરી મસ્જિદ પર 6 ડિસેમ્બર, 1992 ના રોજ હજારો સ્વયંસેવકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે ભગવાન રામના જન્મસ્થળને ચિહ્નિત કરેલા મંદિરને તોડીને તે બનાવવામાં આવ્યું હતું.
2. એપ્રિલ 2002 માં અલ્હાબાદ હાઈકોર્ટની 3 ન્યાયાધીશ લખનઉ બેંચે સુનાવણી શરૂ કરી કે તે સ્થળની માલિકી કોની છે.
3. 2010 માં હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે 2.77 એકર વિસ્તારનો બે તૃતીયાંશ ભાગ હિંદુ સંગઠનો, નિર્મોહી અખાડા અને રામ લલ્લાને અને બાકીનો ભાગ ઉત્તર પ્રદેશના સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને ફાળવવો જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
4. વિવાદ સાથે સંકળાયેલા બંને હિન્દુ અને મુસ્લિમ સંગઠનો આ નિર્ણયથી નાખુશ હતા અને સુપ્રિમ કોર્ટમાં તેની સામે અપીલ દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને 2011 માં સ્થગિત કરી દીધો હતો.
5. 2017 ના ઉત્તર પ્રદેશના ચૂંટણી ઢંઢેરામાં બીજેપીએ કહ્યું હતું કે તે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે બંધારણના કાર્યક્ષેત્રમાં બધી શક્યતાઓ શોધી કાઢશે. 15 વર્ષ પછી યુપીમાં ભાજપ સત્તા પર પાછી ફરી. નવનિયુક્ત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમના અધિકારીઓને વચનના અમલ કરવા માટે કામ શરૂ કરવા જણાવ્યું હતું.
6. આ વર્ષે મે મહિનામાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી અને મુરલી મનોહર જોશી વિધ્વંસ કેસમાં લખનઉની અદાલતમાં તેમના પર ગુનાહિત કાવતરાના આરોપ મૂકવામાં આવ્યા હતા. તેઓએ દલીલ કરી હતી કે ડિમોલિશનમાં તેમની કોઈ ભૂમિકા નથી અને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી હતી.
7. ઓગસ્ટ, 2019 માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું કે તેઓ આ મામલામાં 5 ડિસેમ્બરથી અંતિમ સુનાવણી શરૂ કરશે અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આગામી 3 મહિનામાં તમામ સંબંધિત દસ્તાવેજોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા જણાવ્યું હતું.
8. નવેમ્બરમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે અયોધ્યા વિવાદમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે તેઓ તમામ હિતધારકોને મળી રહ્યા છે અને સમાધાન શોધવા માટે તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા. જ્યાં સુધી અયોધ્યા મુદ્દાની વાત છે ત્યાં સુધી યોગી આદિત્યનાથનું વલણ સ્પષ્ટ હતું કે અમે કોઈ પણ સમાધાનનું સ્વાગત કરીએ છીએ અને કોર્ટના નિર્ણયને સન્માન આપીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
9. ગયા મહિને શિયા વકફ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં અયોધ્યા મુદ્દાના સુખદ ઠરાવની માંગ કરવામાં આવી હતી અને લખનઉના હુસેનાબાદ વિસ્તારમાં ‘મસ્જિદ-એ-અમન’ બાંધવાની ઓફર કરવામાં આવી હતી. જોકે સુન્ની મુસ્લિમ સંગઠનોએ આ ઓફરને ટેકો આપ્યો નથી.
10. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગયા મહિને અયોધ્યા ખાતે વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કહ્યું હતું કે ત્યાં ફક્ત મંદિર જ બનવું જોઈએ, અન્ય કોઈ માળખું નહીં. ત્યાં જ મંદિરનું નિર્માણ કરવામાં આવશે જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]