અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ, સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પૂજન વિધિનું આયોજન
અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ થશે. દેવાધિદેવ મહાદેવજીની આરાધના-પૂજા સાથે મંદિર નિર્માણ વિધિ શરૂ થશે. રામજન્મભૂમિ પરિસર સ્થિત કુબેર ટીલા પર બિરાજમાન શશાંક શેખર, ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસ અને અન્ય સંતો પૂજાવિધિમાં […]
અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ થશે. દેવાધિદેવ મહાદેવજીની આરાધના-પૂજા સાથે મંદિર નિર્માણ વિધિ શરૂ થશે. રામજન્મભૂમિ પરિસર સ્થિત કુબેર ટીલા પર બિરાજમાન શશાંક શેખર, ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસ અને અન્ય સંતો પૂજાવિધિમાં જોડાશે. 10 જૂને સવારે 8 વાગ્યાથી શરૂ થનારી પૂજા બે કલાક ચાલશે. જણાવવું રહ્યું કે ભગવાન રામે પણ લંકા પર વિજય પ્રાપ્ત કરતા પહેલા રામેશ્વરની સ્થાપના કરીને અભિષેક કર્યો હતો.