જલદી આવી શકે અયોધ્યા વિવાદનો ફેંસલો, CJI અન્ય તમામ કેસથી થયા અલગ
અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ ફેંસલો સંભળાવે તેની જ રાહ છે. એવી જાણકારી મળી રહી છે કે સુપ્રીમ કોર્ટ સંભવિત 8 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર સુધીમાં આ ફેંસલો સંભળાવી શકે છે. સૂત્રોના આધારે મળી રહી જાણકારી મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તાત્કાલિક સુનાવણીના તમામ કેસથી પોતાને અલગ કરી દીધા છે. જો કે આ બાબતે ક્યારે […]
અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ ફેંસલો સંભળાવે તેની જ રાહ છે. એવી જાણકારી મળી રહી છે કે સુપ્રીમ કોર્ટ સંભવિત 8 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર સુધીમાં આ ફેંસલો સંભળાવી શકે છે. સૂત્રોના આધારે મળી રહી જાણકારી મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તાત્કાલિક સુનાવણીના તમામ કેસથી પોતાને અલગ કરી દીધા છે. જો કે આ બાબતે ક્યારે ફેંસલો આવશે તે હજુ નક્કી થઈ શક્યું નથી. જસ્ટિસ રંજન ગોગોઈ અન્ય કેસથી અલગ થઈ ગયા છે જેના લીધે અયોધ્યા વિવાદનો ફેંસલો જલદી આવી શકે છે.
આ પણ વાંચો : હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો પણ ડૉક્ટરો રજા મુકીને માણી રહ્યાં છે વેકેશન, જુઓ VIDEO
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યાં છે. તમામ કામકાજ જસ્ટિસ બોબડેને સોંપી દેવાયું છે. આ અઠવાડિયામાં જે મહત્ત્વના ફેંસલા આવનારા છે જેમાં રાફેલ વિવાદ, સબરીમાલા વિવાદ, સુપ્રીમ કોર્ટ આરટીઆઈના પ્રાવધાનમાં રહેશે કે નહીં વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
16 ઓક્ટોબરના રોજ અયોધ્યા મામલે સુનાવણી પૂર્ણ કરી દેવાઈ છે. કોર્ટે પોતાના ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. આ વખતે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અયોધ્યાના ફેંસલાને લખવા માટે એક મહિના જેટલો સમય લાગી શકે છે. અયોધ્યાના ફેંસાલાને લઈને ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સુરક્ષાનો માહોલ જળવાઈ રહે તે માટે એડવાઈઝરી પણ જારી કરી દીધી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]