યમુના એક્સપ્રેસ વે પર દિલ્હી જઈ રહેલી બસ નાળામાં પડી, 29 લોકોના મોત 22થી વધુ લોકો ઘાયલ
ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર સવારે 4.30 વાગ્યે એક બસ લખનઉથી દિલ્લી આવી રહી હતી. ત્યારે આગ્રાના ઝરના નાળામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 29 લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર વિભાગના લોકો ઘટના સ્થળ પર ફરજ પર હાજર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુસાફરોના મોત પર દુખ વ્યક્ત કરતા જિલ્લા અધિકારી અને પોલીસ […]
ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર સવારે 4.30 વાગ્યે એક બસ લખનઉથી દિલ્લી આવી રહી હતી. ત્યારે આગ્રાના ઝરના નાળામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 29 લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર વિભાગના લોકો ઘટના સ્થળ પર ફરજ પર હાજર છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુસાફરોના મોત પર દુખ વ્યક્ત કરતા જિલ્લા અધિકારી અને પોલીસ અધિકારીઓને ઘાયલ થયેલા લોકોને દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ બસ અવધ ડેપોની હતી, જે લખનઉથી દિલ્હી જઈ રહી હતી. ઘટના બાદ યુપી રોડવેઝે વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.
બસમાં 50થી વધારે લોકો સવાર હતા. આ ઘટનામાં 2 ડઝનથી વધારે લોકો ઘાયલ થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને ઘાયલ થયેલા લોકોને હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ICC વિશ્વ કપની ફાઈનલ મેચને લઈને આ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, આ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ
આ ઘટના સવારે 4.30 વાગ્યાની આસપાસ બની હતી. એતમાદપુર વિસ્તારમાં ઝરના નાળામાં આ બસે નિયંત્રણ ગુમાવતા પડી હતી. જેમાં અત્યાર સુધી 29 લોકોના મોતની ખબર સામે આવી છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]