જ્યોતિષના પ્રોફેસરે મોદીજી વિશે કરી ભવિષ્યવાણી અને યુનિવર્સિટીએ રાતોરાત કરી દીધા સસ્પેન્ડ, આ છે મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સિટી

પ્રોફેસરે કથિત ભવિષ્યવાણી કરતા કહ્યું કે ભાજપને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે, અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની છે. મધ્યપ્રદેશના ઉજ્જેમાં આવેલી વિક્રમ વિશ્વવિદ્યાલયમાં જ્યોતિર્વિજ્ઞાન વિભાગના અધ્યક્ષને ચૂંટણીની આચાર સહિંતનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર સમાચાર વાંચીને તો તમે પણ ચોંકી જશો. વાત એમ છે કે જ્યોતિષ શાસ્ત્રના આ […]

જ્યોતિષના પ્રોફેસરે મોદીજી વિશે કરી ભવિષ્યવાણી અને યુનિવર્સિટીએ રાતોરાત કરી દીધા સસ્પેન્ડ, આ છે મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સિટી
Follow Us:
| Updated on: May 08, 2019 | 1:17 PM

પ્રોફેસરે કથિત ભવિષ્યવાણી કરતા કહ્યું કે ભાજપને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે, અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની છે.

મધ્યપ્રદેશના ઉજ્જેમાં આવેલી વિક્રમ વિશ્વવિદ્યાલયમાં જ્યોતિર્વિજ્ઞાન વિભાગના અધ્યક્ષને ચૂંટણીની આચાર સહિંતનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર સમાચાર વાંચીને તો તમે પણ ચોંકી જશો. વાત એમ છે કે જ્યોતિષ શાસ્ત્રના આ પ્રોફેસરે પોતાના ફેસબૂક પર ભાજપ માટે કથિત ભવિષ્યવાણી કરી હતી. ભાજપની જીત ઉપર કહ્યું કે મોદીજીને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે. અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડિ.કે બગ્ગાએ બુધવારે જાહેર કર્યું કે સોશિયલ મીડિયામાં રાજનૈતિક પોસ્ટ લખવી અને આચાર સંહિતાનું ઉલ્લંઘન બદલ અધ્યક્ષ રાજેશ્વર શાસ્ત્રી મુસલગાંવકરને સસ્પેન્ડ કરે છે. જે બાદ પ્રોફેસરે જાહેરમાં માફી માગીને ફેસબુક પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ નિવૃત પ્રોફેસર છેલ્લા 79 વર્ષથી વીજળીના ઉપયોગ વગર પોતાના મકાનમાં રહે છે, શા માટે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી કરતા તેની પાછળ પણ છે રસપ્રદ કારણ

સમગ્ર ઘટના બાદ ભાજપ દ્વારા આ અંગે પ્રશ્નો ઉભા થયા છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ કહ્યું કે અનેક વિષયોમાં જ્યૉતિષ શાસ્ત્રના વિદ્વાનો ભવિષ્યવાણી કરે તે સામાન્ય બાબત છે. આ પ્રકારનું સસ્પેન્સન એ એકદમ ખોટી બાબત છે તેને પરત લેવુ જોઈએ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">