AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam floods : દેશના અન્ય રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જ્યારે આસામ પૂરથી બેહાલ, 7 જિલ્લાના 75,000 લોકો અસરગ્રસ્ત

Assam floods: પૂરના પ્રકોપથી 222 ગામને અસર થઈ છે. જ્યારે 10321. 44 હેક્ટર જમીન ડૂબમાં ગઈ છે. તો પૂરના કારણે અત્યાર સુધીમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. અને આ આફતથી 202 ઘરને નુકસાન થયું છે.

Assam floods : દેશના અન્ય રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જ્યારે આસામ પૂરથી બેહાલ, 7 જિલ્લાના 75,000 લોકો અસરગ્રસ્ત
Assam floods
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 8:27 AM
Share

Assam floods: આસામમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં લશ્કર, અર્ધ સૈનિક દળો, એસડીઆરએફ (SDRF)અને ફાયર વિભાગ (FIRE)તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ (disaster management) વિભાગ દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હોઝઈ, લખીમપુર તથા નાગાંવ જિલ્લામાં સડક, પૂલ અને નહેરો ડૂબી ગઈ છે. ચોમાસા પહેલા  આસામમાં પૂરથી  લોકો બેહાલ થઈ ગયા છે, રાજ્યમાં શનિવારે વરસાદ થવાને પગલે દીમા હસાઓ જિલ્લાના 12 ગામમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી. રાજ્યમાં હજી 18 મે સુધી વરસાદની શકયતા છે. પૂરના પ્રકોપથી 222 ગામને અસર થઈ છે. જ્યારે 10321. 44 હેક્ટર જમીન ડૂબમાં ગઈ છે. તો પૂરના કારણે અત્યાર સુધીમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. અને આ આફતથી 202 ઘરને નુકસાન થયું છે.

પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત અભિયાન

પૂર પ્રભાવિતવિસ્તારમાં સેના, અર્ધ સૈનિક દળો, એસડીઆરએફ અને ફાયર વિભાગ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બચાવ અને રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. હોજઈ, લખીમપુરમ તેમજ નાગાંવ જિલ્લામાં સડકો, પૂર અને નહેરો ડૂબી ગઈ છે. શનિવારે સતત વરસાદ થવાને પગલે દીમા હસાઓ જિલ્લામાં 12 ગામ ભૂસ્ખલનનો બોગ બન્યા છએ. ભૂસ્ખલનને પરિણામે ઘણી જગ્યાઓ પર રેલ્વે ટ્રેકને પણ નુકસાન થયું છે. તો પહાડી વિસ્તારમાં સંચાર સેવાઓને પણ નુકસાન થયું છે.

ટ્રેન સેવાઓ પણ અસરગ્રસ્ત

લુમડિંગ ડિવિઝનમાં ઘણા સ્થાને પાણી ભરાયું છે. તેને જોતા ઉત્તરપૂર્વ ફ્રંટિયર રેલ્વેએ ટ્રેનના સંચાલન માટે ઘણા પરિવર્તન કર્યા છે. પૂર અને વરસાદને કારમે આ રૂટની બે ટ્રેન ફંસાઈ ગઈ છે આ ટ્રેનમાં 1400 મુસાફરો સવાર છે. આ મુસાફરોને વાયુ સેના, એનડીઆરએફ, અસમ રાઇફલ્સ તથાસ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

119 યાત્રિકોને કરવામાં આવ્યા એરલિફ્ટ

ડિટકચેરા સ્ટેશન પર ફસાયેલા 1,245 મુસાફરોને બદરપુર અને સિલચર લાવવામાં આવ્યા છે. જ્યારે 119 યાત્રિકોને એર લિફ્ટ કરીને સિલચર પહોચાડવામાં આવ્યા છે. રેલ્વેએ આ યાત્રિકો માટે ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં 18 મે સુધીવરસાદ થવાની શક્યતા છે.

દેશના અન્ય રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

હાલમાં દેશના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દિલ્લી , ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ લોકો સહન કરી રહ્યા છે આ રાજ્યોના વિવિધ શહેરોમાં ગરમીનો પારો  44- 47 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જ્યારે બીજી તરફ આસામમાં લોકો પૂરથી બેહાલ બન્યા છે. ગરમીથી ત્રસ્ત બનેલા રાજયો આતુરતાથી વરસાદની જોઈ રહ્યા છે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">