Assam Floods: આસામમાં પૂરે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 118ના મોત, મુકેશ અંબાણીએ રાહત ફંડમાં 25 કરોડનું દાન આપ્યું, CM સરમાએ આભાર વ્યક્ત કર્યો
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)અને તેમના પુત્ર અનંતે આસામ(Assam)માં પૂરથી પીડિત લોકોને રાહત આપવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF)માં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. સીએમ શર્માએ આ માટે અંબાણીને આભાર માન્યો છે.
Assam Floods: આસામમાં પૂર(Assam Flood) કારણે વધુ 10 લોકોના મોત થયા છે જ્યારે કચર જિલ્લાનું સિલ્ચર નગર સતત પાંચમા દિવસે ડૂબી રહ્યું છે. શુક્રવારે પૂર(Flood)ના કારણે 28 જિલ્લાઓમાં 33.03 લાખ લોકો પ્રભાવિત થયા છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા છે પરંતુ બ્રહ્મપુત્રા(Brahmaputra River)માં ધુબરી અને નાગાંવમાં કોપિલી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 118 પર પહોંચી ગયો છે જ્યારે 10 વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. બારપેટા, ધુબરી, કરીમગંજ અને ઉદલગુરી જિલ્લામાં બે-બે અને કચર અને મોરીગાંવમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આસામની બરાક ઘાટીના પ્રવેશદ્વાર ગણાતા સિલચરના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ કહ્યું કે તેણે ગંભીર રીતે અસરગ્રસ્ત જિલ્લાઓમાં અને ખાસ કરીને કેચર જિલ્લામાં જ્યાં સિલચર સ્થિત છે ત્યાં વધારાના સંસાધનો સાથે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે NDRFની આઠ ટીમો ઈટાનગર અને ભુવનેશ્વરથી લાવવામાં આવી છે, જેમાં કુલ 207 કર્મચારીઓ છે. આ સિવાય સિલચરમાં બચાવ કામગીરી માટે દીમાપુરથી 120 સભ્યોની સેનાની ટીમને નવ બોટ સાથે મોકલવામાં આવી છે.
ખોરાક અને પાણીની મોટી સમસ્યા, ત્રણ જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ ત્રણ લાખ લોકો ખોરાક, પીવાના શુદ્ધ પાણી અને દવાઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, કારણ કે લગભગ આખું સિલ્ચર શહેર પૂરના પાણીમાં ડૂબી ગયું છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ્સ, પાણીની બોટલો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ છોડવામાં આવી રહી છે. ખીણના ત્રણ જિલ્લા – કચર, હૈલાકાંડી અને કરીમગંજ – બરાક અને કુશિયારા નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
પૂરથી 173 રસ્તાઓ અને 20 પુલોને નુકસાન થયું છે
પૂરને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો બારપેટા છે જ્યાં 10,32,561 લોકો પ્રભાવિત થયા છે, ત્યારબાદ કામરૂપ જિલ્લો 4,29,166 લોકો સાથે છે. સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 103 મહેસૂલ વર્તુળો અને 4,536 ગામોને અસર થઈ છે. રાજ્યભરમાં 759 રાહત શિબિરોમાં કુલ 2,84,875 લોકોએ આશ્રય લીધો છે. પૂરને કારણે 173 રસ્તાઓ અને 20 પુલોને પણ નુકસાન થયું હતું, જ્યારે બક્સા અને દરંગ જિલ્લામાં બે-બે પાળા તૂટ્યા હતા.
મુકેશ અંબાણીએ 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું
દરમિયાન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંતે આસામમાં પૂરથી પીડિત લોકોને રાહત આપવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ (સીએમઆરએફ) માં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ આ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરનો આભાર માન્યો છે. તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા સહિત અનેક પ્રતિષ્ઠિત લોકોએ રાહત ફંડમાં દાન આપ્યું છે. ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે 11 લાખ રૂપિયા જ્યારે પ્રખ્યાત ગાયક સોનુ નિગમે 15 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ CMRFને પાંચ-પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.