Assam Floods : આસામમાં પૂરથી હાલત ખરાબ, 89 લોકોના મોત, 55 લાખથી વધુ લોકો પ્રભાવિત
Assam Floods Update: આસામ (Assam) માં પૂરને કારણે તબાહી મચી છે, જેનાથી હજારો લોકો અને જાનવરોના મોત થયા છે, જ્યારે 55 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે
Assam Floods: આસામમાં વધી રહેલા પૂરના કારણે (Assam Floods 2022) મૃત્યુઆંક 89 પર પહોંચ્યો છે,આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ આ જાણકારી આપી છે. ASDMAનું કહેવુ છે કે કામરૂપમાં ત્રણ લોકો (Flood Situation in Assam) ડૂબી ગયા અને દરંગ, કરીમગંજ, તામૂલપુર અને ઉદલગુરીમાં એક-એક વ્યક્તિ ડૂબી ગયા છે. રાજ્યમાં આવેલા પૂરે 55 લાખ લોકોને પ્રભાવિત કર્યા છે જેમાંથી 1.25 લાખ માત્ર બારપેટા જિલ્લાના છે
સરકાર 127 જિલ્લામાં 1687 રાહત શિબિર ચલાવી રહી છે, બારપેટામાં 88,000 લોકો રાહત શિબિરમાં આશ્રય લઈ રહ્યા છે. હૈલાકાંડી, ગુવાહાટી અને પાથેરકાંડીમાં ભૂસ્ખલન પણ આવ્યું છે, તમને જણાવી દઈએ કે, રાજ્યમાં બ્રહ્મપુત્ર બરાક અને તેમન સહાયક નદીઓમાં પુરની સ્થિતિ મંગળવારના રોજ ગંભીર બની રહી છે
મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી
અધિકારીઓએ જણાવ્યું કે, મૌતના નવા મામલા બાદ કુદરતી આપત્તિના કારણે આ વર્ષે 89 લોકોના મોત થયા છે, મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી ટુંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભુવનેશ્વરથી એનડીઆરએફની ટીમને મદદ માટે આસામ મોકલવામાં આવી છે, બરાકના કરીમગંજ અને કચાર જિલ્લામાં બરાક અને કુશિયારા નદીઓના જળસ્તરમાં વધારો થતા સ્થિતિ ગંભીર બની રહી છે, મુખ્યમંત્રીએ કહ્યું કે, એનડીઆરએફની 4 ટુકડીઓ બચાવ અભિયાનમાં મદદ માટે ભુવનેશ્વરથી સિલચર મોકલવામાં આવી છે
અંદાજે 48 લાખ લોકો પુરથી મુશ્કેલીમાં
મુખ્યપ્રધાને કહ્યું કે, NDRFના ચાર યુનિટ એટલે કે કુલ 105 જવાનોને બરાક ખીણમાં બચાવ કામગીરી હાથ ધરવા માટે સિલચર મોકલવામાં આવ્યા છે. આ તાત્કાલિક મદદ માટે ગૃહપ્રધાન અમિત શાહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, કચારમાં 506 ગામના 2.16 લાખ લોકો અને કરીમગંજમાં 454 ગામના1.47 પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં 36માંથી 32 જિલ્લામાં અંદાજે 48 લાખ લોકો પુરથી મુશ્કેલિમાં છે, બારપેટા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે, જ્યાં 12.51 લાખ લોકો પ્રભાવિત થયા છે
સતત વરસાના કારણે આવેલા પૂરથી 2.62 લાખ લોકો રાહત શિબિરમાં છે, રાહત કાર્યમાં લાગેલી એજન્સીઓએ છેલ્લા 24 કલાકમાં 11,292 લોકો અને 27.086 ઢોરને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે
અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વહેતી નદીઓના જળ સ્તરમાં સતત વધારો
એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વહેતી નદીઓનું પાણીનું સ્તર વધી રહ્યું છે. સાથે જ ઘણી જગ્યાએ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના ઉપલા વિસ્તારોમાં સતત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે રાજ્યમાં પૂર આવ્યું છે.